મૂળી ગ્રામ્યની સગીરાને કારખાનામાં લઈ જઈ નરાધમે પીંખી

મુળી તાલુકાના એક નાના એવા ગામમાં રહેતી સગીરાને ઉંડવી ગામનો એક શખ્સ તા. 10ના રોજ રાત્રે ભગાડીને લઈ ગયો હતો. આ શખ્સ સગીરાને મોરબી પંથકના એક સીરામીકના કારખાનામાં લઈ ગયો હતો. જયાં સગીરાને લગ્નની લાલચ આપીને સતત 5 દિવસ દુષ્કર્મ આચર્યુ હતુ. આરોપીને આશરો આપનાર તેના ભાઈ અને મુખ્ય આરોપી સહિત બન્ને સામે મુળી પોલીસ મથકે સગીરાના પરીવારજનોએ પોકસોની કલમો સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરા સાથે અનીચ્છનીય બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. થાનની સગીરા સાથે 8 શખ્સોએ આચરેલા દુષ્કર્મના બનાવની હજી શાહી સુકાઈ નથી ત્યાં ફરીવાર સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરાયાની ફરિયાદ નોંધાઈ છે. બનાવની મળતી માહીતી મુજબ મુળી તાલુકાના એક નાના એવા ગામમાં રહેતી મહિલાના ભાઈ અને ભાઈ વર્ષ 2017માં અવસાન પામ્યા હતા. આથી તેમના સંતાનો ર દિકરા અને 1 દિકરી ફૈબાના ઘરે રહીને મોટા થયા હતા. જેમાં દિકરીની ઉંમર હાલ 17 વર્ષ 2 માસ અને 10 દિવસ છે. તા. 10-10ના રોજ રાત્રે વાળુ પાણી કરીને પરીવાર ખાટલામાં ઘરની બહાર સુતો હતો. ત્યારે અંદાજે રાત્રે 3 કલાકે વરસાદ આવતા જાગીને જોતા 17 વર્ષની સગીરા ભત્રીજી ખાટલામાં હતી નહી. આથી પરીવારજનોએ તપાસ આદરી હતી. અને તા. 17-10ના રોજ ફરિયાદીની બહેનના ઘરે સગીરા પહોંચી હતી. જેમાં સગીરાની પુછપરછ કરતા તેણે જણાવ્યુ કે, ઉંડવી ગામનો વિરમ ધીરૂભાઈ સારદીયા તેને ભગાડીને મોરબીમાં આવેલ સીરામીકના કારખાને લઈ ગયો હતો. અને તેણીની સાથે સતત 5 દિવસ કુકર્મ કર્યુ હતુ. આથી મુળી પોલીસ મથકે વિરમ ધીરૂભાઈ સારદીયા અને તેને આશરો આપનાર તેના ભાઈ દશરથ ધીરૂભાઈ સારદીયા સામે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાઈ છે. બન્ને આરોપીઓને ઝડપી લેવા બનાવની વધુ તપાસ મહિલા યુનીટના પીઆઈ ટી.બી.હીરાણી ચલાવી રહ્યા છે. થાન દુષ્કર્મ કેસનો વધુ એક આરોપી નડિયાદથી ઝબ્બે થાન પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મની તા. 18-10ના રોજ 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં દર્શન મુકેશભાઈ સદાદીયા પકડાયો હતો. જયારે રવિવારે વધુ 4 આરોપીઓ અજય ઉર્ફે ગડો મનાભાઈ અલગોતર, અજય ઉર્ફે નાગજી દેવકરણભાઈ મારૂ, ધ્રુવ ઉર્ફે ધુલો મહેન્દ્રભાઈ ચાવડા અને હરેશ ઉર્ફે કાનો ઉર્ફે હરી ભનુભાઈ મારૂને પોલીસે ઝડપી લીધા છે. ત્યારે વધુ એક આરોપી કૌશીક ઉર્ફે લાલો હરેશભાઈ ગોસ્વામી નડિયાદમાં ઝડપાયો હોવાની થાન પોલીસને વિગત મળતા થાન પોલીસ તેનો કબજો લેવા નડીયાદ રવાના થઈ છે. આમ આ કેસમાં કુલ 6 આરોપીઓ ઝડપાયા છે. પિતાએ ના પાડતા આરોપી સગીરાને મોરબી લઈ ગયો આરોપી વિરમ સારદીયા તા. 11ના રોજ રાત્રે 2 કલાકે સગીરાને ભગાડીને તેના ગામ ઉંડવી લઈ ગયો હતો. જેમાં આરોપીના માતા-પિતાએ સગીરાને રાખવાની ના પાડી તેને ઘરે મુકી આવ તેમ કહ્યુ હતુ. તેમ છતાં માતા-પિતાનું ન માની આરોપી સગીરાને બાઈક પર અગાઉ તે મોરબીના કોજી સીરામીકમાં કામ કરતો હોય ત્યાં લઈ ગયો હતો. જેમાં તેના ભાઈ દશરથ સારદીયાની ઓરડીમાં સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યુ હતુ. ઘટના બાદ આરોપી સગીરાને તેના મામાના ઘરે મૂકી આવ્યો હતો સગીરાના ઘરે અવારનવાર ઉંડવીનો વીરમ સારદીયા આવતો હોઈ તે સગીરાને ભગાડી ગયાની જાણ થતા પરીવારજનો તેના ઘરે તપાસ કરવા જતા તેના પિતાએ વિરમ મોરબી મજુરી કામ કરે છે તેમ જણાવતા પરીવારજનો મોરબી પહોંચ્યા હતા. જયાં વીરમનો ભાઈ દશરથ હાજર હતો અને તેણે સગીરા અહીં આવી હોવાની ના પાડી હતી. ત્યારબાદ આ વાત તેણે વીરમને જણાવતા વીરમ સગીરાને તેના ઘરે મુકી આવવાના બદલે તેના મામાના ઘરે મુકી આવ્યો હતો.

મૂળી ગ્રામ્યની સગીરાને કારખાનામાં લઈ જઈ નરાધમે પીંખી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મુળી તાલુકાના એક નાના એવા ગામમાં રહેતી સગીરાને ઉંડવી ગામનો એક શખ્સ તા. 10ના રોજ રાત્રે ભગાડીને લઈ ગયો હતો. આ શખ્સ સગીરાને મોરબી પંથકના એક સીરામીકના કારખાનામાં લઈ ગયો હતો. જયાં સગીરાને લગ્નની લાલચ આપીને સતત 5 દિવસ દુષ્કર્મ આચર્યુ હતુ. આરોપીને આશરો આપનાર તેના ભાઈ અને મુખ્ય આરોપી સહિત બન્ને સામે મુળી પોલીસ મથકે સગીરાના પરીવારજનોએ પોકસોની કલમો સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરા સાથે અનીચ્છનીય બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. થાનની સગીરા સાથે 8 શખ્સોએ આચરેલા દુષ્કર્મના બનાવની હજી શાહી સુકાઈ નથી ત્યાં ફરીવાર સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરાયાની ફરિયાદ નોંધાઈ છે. બનાવની મળતી માહીતી મુજબ મુળી તાલુકાના એક નાના એવા ગામમાં રહેતી મહિલાના ભાઈ અને ભાઈ વર્ષ 2017માં અવસાન પામ્યા હતા. આથી તેમના સંતાનો ર દિકરા અને 1 દિકરી ફૈબાના ઘરે રહીને મોટા થયા હતા. જેમાં દિકરીની ઉંમર હાલ 17 વર્ષ 2 માસ અને 10 દિવસ છે. તા. 10-10ના રોજ રાત્રે વાળુ પાણી કરીને પરીવાર ખાટલામાં ઘરની બહાર સુતો હતો. ત્યારે અંદાજે રાત્રે 3 કલાકે વરસાદ આવતા જાગીને જોતા 17 વર્ષની સગીરા ભત્રીજી ખાટલામાં હતી નહી. આથી પરીવારજનોએ તપાસ આદરી હતી. અને તા. 17-10ના રોજ ફરિયાદીની બહેનના ઘરે સગીરા પહોંચી હતી. જેમાં સગીરાની પુછપરછ કરતા તેણે જણાવ્યુ કે, ઉંડવી ગામનો વિરમ ધીરૂભાઈ સારદીયા તેને ભગાડીને મોરબીમાં આવેલ સીરામીકના કારખાને લઈ ગયો હતો. અને તેણીની સાથે સતત 5 દિવસ કુકર્મ કર્યુ હતુ.

આથી મુળી પોલીસ મથકે વિરમ ધીરૂભાઈ સારદીયા અને તેને આશરો આપનાર તેના ભાઈ દશરથ ધીરૂભાઈ સારદીયા સામે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાઈ છે. બન્ને આરોપીઓને ઝડપી લેવા બનાવની વધુ તપાસ મહિલા યુનીટના પીઆઈ ટી.બી.હીરાણી ચલાવી રહ્યા છે.

થાન દુષ્કર્મ કેસનો વધુ એક આરોપી નડિયાદથી ઝબ્બે

થાન પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મની તા. 18-10ના રોજ 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં દર્શન મુકેશભાઈ સદાદીયા પકડાયો હતો. જયારે રવિવારે વધુ 4 આરોપીઓ અજય ઉર્ફે ગડો મનાભાઈ અલગોતર, અજય ઉર્ફે નાગજી દેવકરણભાઈ મારૂ, ધ્રુવ ઉર્ફે ધુલો મહેન્દ્રભાઈ ચાવડા અને હરેશ ઉર્ફે કાનો ઉર્ફે હરી ભનુભાઈ મારૂને પોલીસે ઝડપી લીધા છે. ત્યારે વધુ એક આરોપી કૌશીક ઉર્ફે લાલો હરેશભાઈ ગોસ્વામી નડિયાદમાં ઝડપાયો હોવાની થાન પોલીસને વિગત મળતા થાન પોલીસ તેનો કબજો લેવા નડીયાદ રવાના થઈ છે. આમ આ કેસમાં કુલ 6 આરોપીઓ ઝડપાયા છે.

પિતાએ ના પાડતા આરોપી સગીરાને મોરબી લઈ ગયો

આરોપી વિરમ સારદીયા તા. 11ના રોજ રાત્રે 2 કલાકે સગીરાને ભગાડીને તેના ગામ ઉંડવી લઈ ગયો હતો. જેમાં આરોપીના માતા-પિતાએ સગીરાને રાખવાની ના પાડી તેને ઘરે મુકી આવ તેમ કહ્યુ હતુ. તેમ છતાં માતા-પિતાનું ન માની આરોપી સગીરાને બાઈક પર અગાઉ તે મોરબીના કોજી સીરામીકમાં કામ કરતો હોય ત્યાં લઈ ગયો હતો. જેમાં તેના ભાઈ દશરથ સારદીયાની ઓરડીમાં સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યુ હતુ.

ઘટના બાદ આરોપી સગીરાને તેના મામાના ઘરે મૂકી આવ્યો હતો

સગીરાના ઘરે અવારનવાર ઉંડવીનો વીરમ સારદીયા આવતો હોઈ તે સગીરાને ભગાડી ગયાની જાણ થતા પરીવારજનો તેના ઘરે તપાસ કરવા જતા તેના પિતાએ વિરમ મોરબી મજુરી કામ કરે છે તેમ જણાવતા પરીવારજનો મોરબી પહોંચ્યા હતા. જયાં વીરમનો ભાઈ દશરથ હાજર હતો અને તેણે સગીરા અહીં આવી હોવાની ના પાડી હતી. ત્યારબાદ આ વાત તેણે વીરમને જણાવતા વીરમ સગીરાને તેના ઘરે મુકી આવવાના બદલે તેના મામાના ઘરે મુકી આવ્યો હતો.