મિત્રના એકાઉન્ટમાં રહેલા રૂપિયા બે લાખની લાલચમાં મિત્રોએ જ હત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર રેલ્વે ટ્રેક નજીક છ મહિના પહેલા એક સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે બાતમીના આધારે હત્યાનોે ભેદ ઉકેલીને હત્યા કેસમાં મૃતકના બે મિત્રોને ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકના બેંક એકાઉન્ટમાં રહેલા બે લાખ રૂપિયા પડાવી લેવા માટે અપહરણ કરીને હત્યા કરી હતી. ચાંગોદરમાં આવેલી એક કંપનીમાં રહેતો ૨૩ વર્ષીય વર્ષીય મોહિબુલ ઇસ્લામ નામનો યુવક ૧૭મી માર્ચના રોજ રહસ્યમય રીતે લાપત્તા થયો હતો. જે અંગે ચાંગોદર પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી હતી. મોેહિબુલના લાપત્તા થયાના છ દિવસ બાદ પોલીસને તાજપુર ગામની સીમમાં રેલવે ટ્રેક પાસે સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
What's Your Reaction?






