મકાનમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલી સિંહણ કેનાલમાં ફસાતાં મોત

Oct 26, 2025 - 08:00
મકાનમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલી સિંહણ કેનાલમાં ફસાતાં મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


મોત લખ્યું હોય તો કોઈ બચાવી ન શકે તેનો દાખલો : માગરોળના દિવાસા નજીક કેનાલમાં વેલ અને ઘાસમાં પગ ફસાઈ જવાથી બચવા માટે સિંહણે અનેક પ્રયત્નો કર્યા પરંતુ નિષ્ફળ રહ્યા

જૂનાગઢ, : માંગરોળના દિવાસા નજીક રહેણાંક વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયેલી સિંહણનું કેનાલમાં ફસાઈ જતા મોત થયું છે. દિવાસા ગામના ડેલામાં સિંહણ ઘૂસી જતાં વનતંત્રએ સિંહણનું રેસ્ક્યુ કરી ગામની બહાર તેને છોડી દીધી હતી પરંતુ રેસ્ક્યુ કર્યાને થોડીવારમાં જ ગામ નજીક આવેલી કેનાલમાં વેલ અને ઘાસ વધુ હોવાથી સિંહણનો પગ ફસાઈ જતા તેનું મૃત્યું થયું હતું.

જંગલ છોડી બહાર નીકળેલા સિંહો પર અનેક પ્રકારના જોખમ મંડરાયેલા છે. માંગરોળના દરિયા કિનારે સિંહોનો વસવાટ શરૂ થયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0