ભાજપના ગજેન્દ્રસિંહ પરમાર પર ગૃહવિભાગ આર્શાવાદ યથાવત : દુષ્કર્મ મામલે ફરાર ધારાસભ્યની ભાળ આપી પણ પોલીસે કહ્યું તે ઘરમાં નથી

Feb 14, 2025 - 17:00
ભાજપના ગજેન્દ્રસિંહ પરમાર પર ગૃહવિભાગ આર્શાવાદ યથાવત : દુષ્કર્મ મામલે ફરાર ધારાસભ્યની ભાળ આપી પણ પોલીસે કહ્યું તે ઘરમાં નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Ahmedabad : મહિલા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં પોલીસનો દાવો કરવામાં આવે છે કે ફરાર પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ કોઇ કડી મળતી નથી. જેથી તેમની ધરપકડ કરવામાં આવતી નથી. ત્યારે અગાઉ બે વાર ગજેન્દ્રસિંહ પરમારનું લોકેશન આપવામાં આવ્યું હોવા છંતાય પોલીસ સ્થળ પર પહોંચી નહોતી. ત્યારબાદ ગુરૂવારે ખુદ ફરિયાદી મહિલાએ ગજેન્દ્રસિંહના વખતપુર ગામમાં આવેલા મકાનની બહાર વોચ ગોઠવીને ગજેન્દ્રસિંહ પરમાર તેના ઘરે આવ્યો હોવાની ચોક્કસ ખાતરી કરીને સાબરકાંઠા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જો કે પોલીસે બે કલાક જેટલો સમય લગાવ્યો અને ઘરમાં તપાસ કરીને ગજેન્દ્રસિંહ પરમાર ઘરમાં ન હોવાનું કહીને મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું.  આમ, ફરી એકવાર ગૃહવિભાગ સાથેની સીધી સાંઠગાંઠનો મામલો સામે આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0