ભરૂચમાં 'જનતા કા રાજ'ના સભ્યોનો આતંક? ઉમલ્લાના વેપારીને ઢોર માર મરાયો, પોલીસે સામાન્ય ફરિયાદ નોંધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bharuch Crime: ભરૂચના ઉમલ્લાના વેપારી મુકેશભાઈ શાહ અને તેમના પરિવાર પર થયેલા હુમલા બાદ પોલીસની ઢીલી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનામાં રાયસીંગપુરાના સરપંચના પુત્ર શનાભાઈ વસાવા અને તેમના સાથીઓએ વેપારીને લાકડીના સપાટાથી માર માર્યો હોવાનો આરોપ છે. આ મામલે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં, રાજકીય દબાણ હેઠળ સામાન્ય ફરિયાદ દાખલ કરીને સંતોષ માનવામાં આવ્યો હોવાનું વેપારી પરિવારે જણાવ્યું છે.
મહિલાને ધમકી આપી ગાળો બોલી
આ ઘટનાના વાઈરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વેપારીને બચાવવા આવેલા પરિવારજનોમાંથી એક મહિલા હતી, જેને પણ કેટલાક લુખ્ખા તત્ત્વો મારવાની ફિરાકમાં હતા, મહિલાએ પોલીસ ફરિયાદ કરવાનું કહ્યું તો તેને ગાળ બોલી થાય તે કરી લેવાની ધમકી આપી હતી.
What's Your Reaction?






