બનાસકાંઠામાં ભારે વરસાદ: અમીરગઢમાં મકાન ધરાશાયી થતાં આધેડ મહિલાનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Amirgadh News : મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના સુઈગામ, અમીરગઢ સહિત અનેક તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં આજે રવિવારે (7 સપ્ટેમ્બર) અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર ગામમાં ભારે વરસાદના કારણે એક કાચુ મકાન ધરાશાયી થતાં એક અધેડ મહિલાનું મોત નીપજ્યું હતું.
મકાન ધરાશાયી થતાં આધેડ મહિલાનું મોત
મળતી માહિતી મુજબ, અમીરગઢ તાલુકામાં છેલ્લા બે દિવસથી વર્ષી રહેલા ભારે વરસાદના કારણે ચારેયકોર પાણી-પાણીના દ્રશ્ય સર્જાયા છે. જ્યારે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.
What's Your Reaction?






