પંચમહાલની પંચામૃત ડેરીનો પશુપાલકો માટે ઐતિહાસિક નિર્ણય, દાણના ભાવમાં રૂ. 2નો ઘટાડો કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Panchmahal News: પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પંચામૃત ડેરીના ચેરમેન દ્વારા ખેડૂતોના હિતલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરીની દાણ ફેક્ટરીમાંથી ઉત્પાદિત થતાં દરેક દાણમાં પ્રતિ કિલોગ્રામે 2 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે, જેનો અમલ આજ (28 જુલાઈ)થી જ કરવામાં આવ્યો છે.
દાણના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો
ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ દ્વારા જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, પંચામૃત દાણના વિવિધ ઉત્પાદનોના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
What's Your Reaction?






