નવો રોડ બનાવવાના નામે પહેલેથી જ બનેલા રોડ પર ડામર પાથરવાનું યથાવત
વડોદરાઃ વડોદરા શહેરમાં ચોમાસામાં વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરના કારણે તો ઘણા વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશવાનું જોખમ તો રહે જ છે પરંતુ તેની સાથે સાથે હવે રોડ બનાવવાના નામે ડામરનું કાર્પેટિંગ પર કાર્પેટિંગ કરવાથી પણ સંખ્યાબંધ વિસ્તારોમાં લોકો ચોમાસામાં પાણી ભરાવાની આપદાનો સામનો કરી રહ્યા છે.કહેવાતી સ્માર્ટ સિટીના શાસકોએ છેલ્લા કેટલાક વર્ષોથી નવો રોડ બનાવવાનો આવે તો પહેલેથી બનેલા રોડને ખોદવાની જગ્યાએ તેના પર જ ડામરના થર પાથરવાની સાવ અણઘડ નીતિ અપનાવી છે.જેના કારણે હવે ઘણા વિસ્તારોમાં રોડનું લેવલ આસપાસની સોસાયટીઓ કે દુકાનો કરતા ઉંચુ થઈ ગયું છે.બીજી તરફ વોલ ટુ વોલ કાર્પેટિંગના નામે ડામર પાથરી દેવાતો હોવાથી પાણીનો નીકાલ કરવાની વ્યવસ્થા જ નથી હોતી.જેના કારણે રોડના પાણી સોસાયટીઓમાં ઘરોમાં કે દુકાનોમાં પ્રવેશે છે.
![નવો રોડ બનાવવાના નામે પહેલેથી જ બનેલા રોડ પર ડામર પાથરવાનું યથાવત](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739379420006.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ વડોદરા શહેરમાં ચોમાસામાં વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરના કારણે તો ઘણા વિસ્તારોમાં પૂરના પાણી પ્રવેશવાનું જોખમ તો રહે જ છે પરંતુ તેની સાથે સાથે હવે રોડ બનાવવાના નામે ડામરનું કાર્પેટિંગ પર કાર્પેટિંગ કરવાથી પણ સંખ્યાબંધ વિસ્તારોમાં લોકો ચોમાસામાં પાણી ભરાવાની આપદાનો સામનો કરી રહ્યા છે.
કહેવાતી સ્માર્ટ સિટીના શાસકોએ છેલ્લા કેટલાક વર્ષોથી નવો રોડ બનાવવાનો આવે તો પહેલેથી બનેલા રોડને ખોદવાની જગ્યાએ તેના પર જ ડામરના થર પાથરવાની સાવ અણઘડ નીતિ અપનાવી છે.જેના કારણે હવે ઘણા વિસ્તારોમાં રોડનું લેવલ આસપાસની સોસાયટીઓ કે દુકાનો કરતા ઉંચુ થઈ ગયું છે.બીજી તરફ વોલ ટુ વોલ કાર્પેટિંગના નામે ડામર પાથરી દેવાતો હોવાથી પાણીનો નીકાલ કરવાની વ્યવસ્થા જ નથી હોતી.જેના કારણે રોડના પાણી સોસાયટીઓમાં ઘરોમાં કે દુકાનોમાં પ્રવેશે છે.