નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદમાં દારૂની હેરફેર કરવા માટે બુટલેગરો હવે કુરીયરમાં પાર્સલ દ્વારા મોટા પ્રમાણમાં હેરફેર કરવામાં આવે છે. શહેરના નવરંગપુરા મીઠાખળીમાં આવેલી એક કુરીયર કંપનીમાં પીસીબીએ દરોડો પાડીને ૬૦૦ બોટલ વિદેશી દારૂ ભરેલા ચાર પાર્સલ જપ્ત કર્યા હતા.જે ઉદેપુરથી આણંદ મોકલવાનુું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
નવરંગપુરા મીઠાખળી સરદાર પટેલ સેવા સમાજની સામે આવેલા આર્શીવાદ કોમ્પ્લેક્સમાં આવેલા ટેક્રોન કુરીયરમાં રાજસ્થાનથી દારૂ ભરેલા પાર્સલ લાવીને ગુજરાતના વિવિધ શહેરોમાં પહોંચતા કરવામાં આવતા હોવાની બાતમી પીસીબીના પીઆઇ જે પી જાડેજાને મળી હતી.
What's Your Reaction?






