ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઍલર્ટ, લોકોને સલામત સ્થળે જવા સૂચના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Dharoi Dam : ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નદી-નાળા અને ડેમ છલકાયા છે. જેમાં ધરોઈ ડેમમાંથી આજે (5 સપ્ટેમ્બર) રાત્રે 8 વાગ્યે 618 ફૂટે જળ સપાટી પહોંચી છે, જેની ભયજનક સપાટી 622 ફૂટની છે. ડેમમાં જળસ્તળ વધતાં રાત્રે 10 વાગ્યે ડેમમાંથી 25 હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. જેને લઈને તંત્રએ ગાંધીનગર, અમદાવાદ સહિત 6 જિલ્લાને ઍલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે તંત્રએ લોકોને સલામત સ્થળે જવા સૂચના આપી છે.
What's Your Reaction?






