જ્યારે ઈકો ફ્રેન્ડલીની વાત પણ નહોતી થતી, ત્યારથી સુરતના ગોપીપુરામાં થાય છે માટીના ગણેશની સ્થાપના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ganesh Chaturthi 2025 : ગ્લોબલ વોર્મિંગના કાણે હાલ શ્રીજીની ઇકોફ્રેન્ડલી પ્રતિમા માટે લોક જાગૃતિ થઈ રહી છે, પરંતુ સુરતના કોટ વિસ્તાર એવા ગોપીપુરામાં 1968 થી એક મંડળ ગણેશોત્સવ કરે છે તેમાં પહેલા વર્ષથી જ ઈકો ફ્રેન્ડલી માટીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ આ મહોલ્લામાં આવતા વર્ષે શ્રીજીની પ્રતિમા આપવા માટેનું બુકિંગ પણ હાલ ચાલતા ગણેશોત્સવ દરમિયાન થઈ જાય છે. સાથે આ મંડળમાં શ્રીજીને સફરજનનો પ્રસાદનું પણ અનેરું મહત્ત્વ રહેલું છે.
સુરતના ગોપીપુરા મોઢેશ્વરી મહાદેવ ગણેશ મંડળ દ્વારા 1968થી ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારથી આજ સુધી પીઓપી પ્રતિમા સ્થાપવા આવી નથી. તેનું કારણ આપતા હાર્દિક ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, 'અમારા વડીલોએ માટીની પ્રતિમા મુકીને ગણેશજીની આરાધના શરૂ કરી હતી.
What's Your Reaction?






