જોરાવરનગરમાં પાણીના સંપ પાસે પાણી પ્રશ્ને સ્થાનિકોનો હલ્લાબોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચિમકી
અનિયમીત-અપૂરતું પાણી મળતા મેઈન બજાર, લાયબ્રેરી રોડ, રામજી મંદિર, સુભાષ રોડ સહિતના વિસ્તારના લોકો ભેગા થયા
સુરેન્દ્રનગર - જોરાવરનગર શહેરી વિસ્તારમાં અનિયમીત અને અપૂરતું પાણી વિતરણ કરવામાં આવતા રાતના સમયે સ્થાનિક રહિશો અને મહિલાઓ જોરાવરનગર પાણી વિતરણ સંપ પર એકત્ર થયા હતા અને પાણીની સમસ્યા અંગે હલ્લાબોલ કર્યો હતો. આગામી દિવસોમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.
જોરાવરનગર શહેરી વિસ્તારમાં આવેલ અનેક વિસ્તારોમાં મનપા તંત્ર દ્વારા હાલ ચાર થી પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે સ્થાનિક મહિલાઓ અને રહિશોને મુશ્કેલી પડી રહી છે.
What's Your Reaction?






