જંબુસરના ખેડૂતે વધુ નાણાંની માંગ સાથે ધમકી આપનાર વડોદરાના બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bharuch News : જંબુસરના ખેડૂતે વ્યાજથી બે લાખની રકમ લીધા બાદ તેની સામે રૂ.5.45 લાખ ચૂકવવા છતાં વધુ રકમની માંગણી સાથે ધાક ધમકી મામલે વડોદરાની મહિલા સહિત બે વ્યાજખોર સામે ફરિયાદના આધારે કાવી પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જંબુસરના કલિયારી ગામ ખાતે રહેતા અલ્પેશ પટેલ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, લીનાબેન અજયભાઈ પટેલ (રહે-એલઆઈજી, માંજલપુર ગામ, વડોદરા ) અને પ્રતાપકુમાર નેત્રાનંદ પાત્રા (રહે-શિવાભી લક્ઝુરીયા, માણેજા ક્રોસિંગ, મકરપુરા, વડોદરા) વ્યાજથી નાણા આપતા હોય લીનાબેન પાસેથી વર્ષ 2015-16માં 5 ટકાના વ્યાજે એક લાખની રકમ લીધી હતી.
What's Your Reaction?






