ગુજરાતની પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગનો આક્ષેપ: કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી

Jun 20, 2025 - 02:30
ગુજરાતની પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગનો આક્ષેપ: કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Kadi-Visavadar Election, Gujarat : ગુજરાતમાં આગામી પેટાચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ આજે પત્રકાર પરિષદ યોજીને ભાજપ પર આચારસંહિતાના ઉલ્લંઘનનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને આ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. 

પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગનો કોંગ્રેસનો આક્ષેપ

મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ દ્વારા મતદારોને લોભાવવા માટે ભોજન સમારંભોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, થોળ સહિતના ગામોમાં ભાજપના ઉમેદવારને મત આપવા આવતા મતદારો માટે ખાસ ભોજન સમારંભો ગોઠવવામાં આવ્યા છે, જે આચારસંહિતાનો સીધો ભંગ છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0