ગુજરાત હાઈકોર્ટે PSIની ભરતીમાં વિષય દીઠ 40 ટકા ગુણ મેળવવાનો ગૌણ સેવા પસંદગી બોર્ડના નિર્ણયને માન્ય રાખ્યો

Oct 1, 2025 - 00:00
ગુજરાત હાઈકોર્ટે PSIની ભરતીમાં વિષય દીઠ 40 ટકા ગુણ મેળવવાનો ગૌણ સેવા પસંદગી બોર્ડના નિર્ણયને માન્ય રાખ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat News : વર્ષ 2021માં પોલીસ સબ ઈન્સપેક્ટર / ઈન્સટ્રક્ટર વર્ગ-3ની ભરતીની જાહેરાતમાં મેઈન્સની લેખિત પરીક્ષામાં વિષય દીઠ 40 ટકા માર્કસ મેળવવા પડશે, તેવો સ્પષ્ટ ઉલ્લેખ ન કરાયો હોવાથી પરીક્ષામાં કુલ 40 ટકાથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારોની પસંદગી કરી નવું સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.

ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ નિખિલ કારિયલે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું કે, ભરતીની જાહેરાતમાં લેખિત પરીક્ષા શબ્દનો ઉલ્લેખ કરાયો છે, જે પરીક્ષામાં મેળવેલા કુલ ગુણ નહિ, પરંતુ વિષય દીઠ મેળવેલા 40 ટકા ગુણને લાગુ પાડે છે. ભરતીમાં રિક્રુટમેન્ટ રૂલ્સનો મુખ્ય હેતુ સૌથી પ્રતિભાશાળી ઉમેદવારોની પસંદગી કરવાનું હોય છે, જેને તમામ વિષયોનું સારું જ્ઞાન હોય, તેવા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. જો અરજદારોની માંગ સ્વીકારવામાં આવશે, તો રિક્રુટમેન્ટ રૂલ્સ આધારિત પસંદગી પ્રક્રિયાને હેતુ નિષ્ફળ સાબિત થશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0