ગંભીરા બ્રિજની ગંભીરતા સમયસર ધ્યાને ન લીધી અને હવે દુર્ઘટના બાદ મુખ્યમંત્રીએ તપાસ આદેશ આપ્યા

Jul 9, 2025 - 17:00
ગંભીરા બ્રિજની ગંભીરતા સમયસર ધ્યાને ન લીધી અને હવે દુર્ઘટના બાદ મુખ્યમંત્રીએ તપાસ આદેશ આપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gambhira Bridge Collapse : મહીસાગર નદી પર આવેલો મુજપુર-ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતાં 9 જેટલા લોકોના મોત થયા છે. આ ઘટના પગલે મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું અને તપાસના આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે જોખમી બ્રિજને લઇને જાગૃત નાગરિકો દ્વારા અગાઉ રજૂઆત કરવા છતાં  સરકાર કે તંત્ર જાગ્યું ન હતું, પરંતુ  બ્રિજ તૂટી પડવાની ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ ઉંઘ ઉડી છે. ગંભીરા બ્રિજ તૂટી પડવાના કારણો તથા અન્ય ટેકનિકલ બાબતો પર પ્રાથમિક તપાસ હાથ ધરી અહેવાલ આપવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીના આદેશ બાદ તંત્ર એલર્ટ થઇ ગયું છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0