ખેડામાં નીલગાયના કારણે ફરી સર્જાયો અકસ્માત, પોલીસકર્મી સહિત 2ના ઘટના સ્થળે જ મોત
Kheda News : ખેડાના મહીસાગર અને અમદાવાદને જોડતા હાઇવે પર નીલગાયનો ત્રાસ છેલ્લાં ઘણાં સમયથી વધી રહ્યો છે. રસ્તા પર પસાર થતા વાહનો સાથે નીલગાય અથડાવાથી ગંભીર અકસ્માતની ઘટના સર્જાય છે. ગત 16 જાન્યુઆરીએ નીલગાય સાથે કારની ટક્કર વાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહીસાગરના બાલાસોરના ચાર લોકોના મોત નીપજ્યા હતા. એક અઠવાડિયામાં નીલગાયના લીધે અકસ્માતની બીજી ઘટના સામે આવી છે. જેમાં ગઈકાલે મંગળવારે ખેડા કેમ્પ પાસે પોલીસકર્મીની કાર સાથે નીલગાય અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પોલીસકર્મી અને તેમની માતાનું મોત નીપજ્યું હતું.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Kheda News : ખેડાના મહીસાગર અને અમદાવાદને જોડતા હાઇવે પર નીલગાયનો ત્રાસ છેલ્લાં ઘણાં સમયથી વધી રહ્યો છે. રસ્તા પર પસાર થતા વાહનો સાથે નીલગાય અથડાવાથી ગંભીર અકસ્માતની ઘટના સર્જાય છે. ગત 16 જાન્યુઆરીએ નીલગાય સાથે કારની ટક્કર વાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહીસાગરના બાલાસોરના ચાર લોકોના મોત નીપજ્યા હતા. એક અઠવાડિયામાં નીલગાયના લીધે અકસ્માતની બીજી ઘટના સામે આવી છે. જેમાં ગઈકાલે મંગળવારે ખેડા કેમ્પ પાસે પોલીસકર્મીની કાર સાથે નીલગાય અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પોલીસકર્મી અને તેમની માતાનું મોત નીપજ્યું હતું.