ખામેનેઇના મોતના બાદ કેટલાંક તત્વો કોમી શાંતિ ડહોળવા સક્રિય થયા!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, સોમવાર
અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઇરાનના વડા ખામેનેઇ અને તેના પરિવારના મોતના પગલે માત્ર ઇરાનમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે. જેમાં ખામેનેઇ પ્રત્યે સહાનુભુતિ દર્શાવીને ઇરાન સાથે જ નહી ઇસ્લામ સાથે પણ અન્યાય થયાની પોસ્ટ ખુબ મોટા પ્રમાણમાં મુકવામાં આવી રહી છે. ત્યારે કેટલાંક દેશ વિરોધી તત્વો ઇરાન સાથેની લડાઇના મામલે તકનો ગેરલાભ લઇને ગુજરાતમાં કોમી શાંતિ ડહોળવા માટે સક્રિય થઇ હોવાનું સામે આવતા ગુજરાત પોલીસ તેમજ ઇન્ટેલીજન્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સતર્ક કરવામાં આવ્યા છે.
ઇરાનના વડા ખામેનેઇ અને તેના પરિવારજનોના મોત બાદ ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યા છે. સાથેસાથે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ , ફેસબુક, એક્સ સહિતના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર ખામેનેઇને શ્રધ્ધાજંલી આપતી પોસ્ટની સાથે કેટલાંક લોકો લધુમતી સાથે અન્યાય થતો હોવાની પોસ્ટ મુકીને ઉશ્કેરણી કરવા સક્રિય થયા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

