કોમર્શિયલ બિલ્ડીંગના પ્લાનની મંજૂરીમાં ગેરરીતિનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર આવેલા
છેલ્લા 2 વર્ષમાં ઈમ્પેક્ટમાં એક પણ પ્લાન મંજૂર થયો નથી ઃ ગેરરીતિ આચરી ખોટા સહિ સિક્કા કર્યા હોવાનું અનુમાન
પાલિકાના પૂર્વ સદ્દસ્યએ મનપા કમિશનરને રજૂઆત કરી તપાસની માંગ કરી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરમાં રીલાયન્સ ટ્રેન્ડસની સામે નવકાર ફલેટની બાજુમાં અનોપચંદભાઈ શાહનું સુખ-શાંતિ નામનું રહેણાંક મકાન વર્ષ ૨૦૨૩ સુધી હતું. જેનો તેઓ રહેણાંક તરીકે હાઉસટેક્ષ પણ ભરપાઈ કરતા હતા પરંતુ ત્યારબાદ આ મકાન પાડીને ત્યાં ત્રણ માળનું કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે જેમાં પ્લાનના નિયમ મુજબનું માર્જીન કે કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી તેમજ બીયુ પરમીશન પણ મેળવેલ નથી.
What's Your Reaction?






