કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત, જહાજમાં ભરેલા લાકડાને જંતુમુક્ત કરતાં હતા

May 14, 2026 - 03:30
કચ્છના કંડલા પોર્ટ પર ગંભીર દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત, જહાજમાં ભરેલા લાકડાને જંતુમુક્ત કરતાં હતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Kandla Port Gas Leak Incident: કચ્છના કંડલા પોર્ટની જેટી પર જહાજમાં ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત નીપજ્યા છે. બુધવારે(13 મે) બપોરના સમયે ઈમારતી લાકડાં ભરેલાં જહાજમાં લાકડાંના જથ્થાને ઝેરી ગેસથી જીવજંતુરહિત બનાવવાની 'ફ્યુમિગેશન'ની પ્રક્રિયા દરમિયાન 'પાન ઓપ્ટિમમ' નામની કાર્ગો શીપમાં દુર્ઘટના બની હતી. 

કંડલા પોર્ટ પર ઝેરી ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત

મળતી માહિતી મુજબ, કંડલા પોર્ટ પર જેટી નંબર 13 પર લાકડા ભરેલા જહાજમાં લાકડાંના જથ્થાને ઝેરી ગેસથી જીવજંતુરહિતની પ્રક્રિયા કરતી વખતે એક શ્રમિક ઝેરી ગેસની અસરથી ઢળી પડ્યો હતો. જો કે, તેની પાછળ અન્ય બે શ્રમિકો જતાં તેઓ પણ ઝેરી ગેસના કારણે ઢળી પડ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0