ઉપવાસના મહિનામાં બજારૂ ફરાળ જન આરોગ્ય જોખમાવી શકે છે

Jul 25, 2025 - 07:00
ઉપવાસના મહિનામાં બજારૂ ફરાળ જન આરોગ્ય જોખમાવી શકે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


'ઉપવાસ એક તપ અને સંઘર્ષ છે પરંતુ કોઇ પણ તપ એક પ્રથા બને ત્યારે તેમાં દૂષણો આવે છે' : શ્રાવણમાં ભકિત સાથે સ્વાસ્થ્યનો સુમેળ સાધવો આવશ્યક : દાઝિયા તેલમાં તળેલી વાનીઓ, વાસી સામગ્રીથી ફૂડ પોઈઝનિંગનો ખતરો : આરોગ્ય વિભાગે સમયસર- સતત ચેકિંગ કરવું જરૂરી

રાજકોટ, : આધ્યાત્મ અને વૈજ્ઞાાનિક  દ્રષ્ટિએ સાત્વિક ભોજન સાથે ઉપવાસનું મહત્વ અનેરૂં છે. વર્ષાઋતુમાં સ્વાસ્થ્ય જાળવવું જરૂરી બની રહે છે એ ધ્યાને રાખીને લોકો શ્રાવણમાં ઉપવાસ, એકટાણાને મહત્વ આપે તો છે, પરંતુ ફરાળમાં ક્યું ભોજન લેવું તેનો ખ્યાલ રાખવાનું ભૂલી જાય છે. ચોમાસામાં પાચનક્રિયા મંદ પડી જતી હોવાથી ઉપવાસમાં હળવો- સાત્વિક ખોરાક શરીર માટે ફાયદાકારક નીવડે છે. આ તબક્કે, ફરાળના નામે બજારમાં મળતી અવનવી વાનગીઓ અખાદ્ય, વાસી, ઘી-તેલમાં તળેલી, સરખી સાફ ન કરેલી હોવાથી પેટને લગતી બીમારી, ફૂડ પોઇઝનિંગની સંભાવના વધી જાય છે. જન આરોગ્ય ન જોખમાય તે માટે આરોગ્ય વિભાગે બજારૂ ફરાળની વ્યાપક અને સતત ચકાસણી હાથ ધરવી જરૂરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0