આજવા ડેમ ઓવરફ્લો થતાં વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ, કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara: આજવા સરોવરના ઉપવાસમાં છેલ્લા બે દિવસથી સતત થઈ રહેલા અવિરત વરસાદના કારણે અહીં ડેમની સપાટીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. જેના કારણે ગઈકાલ સવારે 9 વાગ્યાથી ડેમ ઓવરફ્લો થતાં એમાંથી પાણી વહી રહ્યું છે અને તે વિશ્વામિત્રી નદીમાં આવતાં નદીની સપાટી વધીને આજે 18 ફૂટે પહોંચી છે. બીજી તરફ વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ કોટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પાલિકા અને પોલીસ તંત્ર એક્શનમાં આવીને લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ રહીશોનું સ્થળાંતર કરાવવાનું શરુ કરાવ્યું છે.
શહેર માટે પીવાના પાણીનો સૌથી મહત્ત્વનો સ્ત્રોત એવા આજવા સરોવરના ઉપરવાસમાં 48 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે.
What's Your Reaction?






