અમદાવાદમાં વસ્ત્રાલ-થલતેજ રૂટ પર હવે દર 7 મિનિટે મળશે મેટ્રો, રવિવારે દર 10 મિનિટે થશે સંચાલન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad News : અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેનમાં રોજના હજારો લોકો મુસાફરી કરી છે. જેમાં પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં પેસેન્જરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ મહત્ત્વો નિર્ણય કર્યો છે. જેમાં GMRCએ વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના રૂટમાં મેટ્રોની ફ્રિક્વન્સી વધારી છે, ત્યારે મેટ્રોની રોજની ટ્રિપોની સંખ્યા 75-77થી વધારીને 85 કરવામાં આવી છે.
દર 7 મિનિટે ઉપલબ્ધ થશે મેટ્રો
મળતી માહિતી મુજબ, અમદાવાદના વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના રૂટ પર મેટ્રોની ફ્રિક્વન્સી વધારવામાં આવી છે, ત્યારે 12 મિનિટની જગ્યાએ હવે દર 7 મિનિટે મેટ્રો ઉપલબ્ધ થશે.
What's Your Reaction?






