અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં હાઈ-ટેક સુરક્ષા, ફેસ-ડિટેક્શન CCTV કેમેરાથી હિસ્ટ્રી-શીટરો પર રખાશે બાજ નજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jagannath Rathyatra In Ahmedabad : ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ ધાર્મિક શોભાયાત્રાઓમાંની એક એવી જગન્નાથ રથયાત્રા આ વર્ષે 27 જૂન, 2025ના રોજ યોજાવાની છે, ત્યારે 148મી વાર્ષિક જગન્નાથ રથયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અત્યાધુનિક ફેસિયલ રેકગ્નિશન ટેકનોલોજીથી સજ્જ બે લાઈવ-સ્ટ્રીમિંગ CCTV કેમેરા તૈનાત કરવામાં આવશે. બે હાઈ-ટેક કેમેરા ગુજરાત પોલીસના PINAC સોફ્ટવેર સાથે લાઈવ સ્ટ્રીમ કરી હિસ્ટ્રી-શીટરોને ઓળખશે. આ કેમેરાનો મુખ્ય હેતુ ભીડવાળા વિસ્તારો પર નજર રાખવાનો અને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિઓને રીઅલ-ટાઇમમાં ઓળખવાનો છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેમેરાને બે વ્યૂહાત્મક સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે. જેમાં એક જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરના મુખ્ય ગેટ પાસે અને બીજો સારસપુર ખાતે, જ્યાં દિવસભરની આ રથયાત્રા દરમિયાન સૌથી વધુ ભીડ જોવા મળે છે.
What's Your Reaction?






