અમદાવાદ વિમાન દુર્ઘટના: 167 મૃતકોના DNA સેમ્પલ થયા મેચ, જેમાંથી 133 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Plane Crash: ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં AI-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરાઈ રહી છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના પછી ડીએનએ સેમ્પલ લઈને મૃતદેહોની ઓળખની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે(17-06-2025)ના સાંજે 7:45 વાગ્યા સુધીમાં 167 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જ્યારે 133 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું હતું. હાલ, અન્ય મૃતકોના ડીએનએની કામગીરી ચાલી રહી છે.
What's Your Reaction?






