અમદાવાદ ફાયરિંગનો મામલો: કરોડોનું દેવું થતાં કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Firing: અમદાવાદના બોપલમાં આવેલા શીવાલીક રૉ હાઉસમાં રહેતા શેર બ્રોકરની પોઇન્ટ બ્લેકથી આપઘાત કરવાના મામલે બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આપઘાત પહેલા મૃતકને બે વ્યક્તિઓ મળવા આવ્યા હતા અને તેમના ગયા બાદ કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યો હતો. જો કે સ્થળ પરથી હથિયાર ન મળી આવતા બંને હથિયાર લઈને ચાલ્યા ગયાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે દાવો કર્યો છે કે મૃતકને મળવા આવેલા બંને વ્યક્તિઓને પોલીસે ઓળખાણ કરી છે. જે શેરબજાર સાથે સંકળાયેલા હોવાથી સાથે મોટા પ્રમાણમાં નાણાં વ્યાજે ફેરવતા હતા. કરોડોની લેવડ-દેવડ મામલે ધમકી મળતા હતાશ થઈને કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યા હોવાનું પોલીસને અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે.
What's Your Reaction?






