અમદાવાદ પ્લેન ક્રેશ : એર ઈન્ડિયાને ત્રણ કર્મચારીઓની ટ્રાન્સફરનો આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- એર ઈન્ડિયાના કર્મચારીઓ સામે ડીજીસીએની કાર્યવાહી
- એવિએશન સેફ્ટી પ્રોટોકોલના ગંભીર ભંગ બદલ કાર્યવાહી, 10 દિવસમાં રિપોર્ટ આપવા એર ઈન્ડિયાને ડીજીસીએનો નિર્દેશ
નવી દિલ્હી : અમદાવાદમાં ૧૨ જૂને વિમાન અકસ્માતના ૧૦ દિવસ બાદ શનિવારે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને એર ઈન્ડિયા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરતા ક્રૂ શેડયુલિંગ વિભાગના ત્રણ વરિષ્ઠ અધિકારીઓની તાત્કાલિક ટ્રાન્સફર કરવા આદેશ આપ્યો છે. આ કાર્યવાહી એવિએશન સેફ્ટી પ્રોટોકોલના ગંભીર ભંગ બદલ કરાઈ છે. વધુમાં ૧૦ દિવસમાં આ કાર્યવાહી અંગે રિપોર્ટ આપવા જણાવાયું છે.
What's Your Reaction?






