અમદાવાદ: દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ AMTSમાં મફત મુસાફરી કરી શકાશે, સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Free Travel In AMTS During Diwali Festival : દિવાળી-બેસતું વર્ષ તહેવારના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં AMTS કમિટીએ તહેવારને ધ્યાનમાં રાખીને ધનતેરસથી ત્રણ દિવસ દરમિયાન તમામ લોકો માટે મફત મુસાફરીનો નિર્ણય લીધો છે. આ મામલે આવતીકાલે ગુરુવારે(16 ઓક્ટોબર) સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં AMTS બસ દોડાવામાં આવે છે. રોજના હજારો લોકો AMTS બસમાં મુસાફરી કરતાં હોય છે, ત્યારે આગામી ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ માટે પ્રવાસીઓ મફત મુસાફરી કરી શકે તે માટે AMTS કમિટીએ પ્રથમ વખત નિર્ણય લીધો છે.
What's Your Reaction?






