અંકલેશ્વરના વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત: બ્રિજ પર ઊભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ઘૂસતા ચાલકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Bharuch News : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર બેદરકારીપૂર્વક ઊભેલા એક કન્ટેનર પાછળ આઈશર ટેમ્પો ઘૂસી જતાં ટેમ્પો ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
બ્રિજ પર ઊભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ઘૂસતા ચાલકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના આજવા રોડ ખાતે રહેતા ભવન વાલુભાઈ ભરવાડે ફરિયાદ નોંધાવી છે કે, તેમનો આઈશર ટેમ્પો ડ્રાઈવર કુલદીપસિંહ મનીસિંહ પોનીયા ચલાવતા હતા. આજે (3 ઓગસ્ટ) વહેલી સવારે 4 વાગ્યે વડોદરાથી સુરત તરફ નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વર ખાતે વાલિયા ચોકડી બ્રિજ ચડતી અકસ્માતની ઘટના સર્જાઈ હતી.
What's Your Reaction?






