Zakia Jafri: અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ, અહેસાન જાફરીના હતા પત્ની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઝાકિયા જાફરીએ 86 વર્ષની ઉંમરે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ કોંગ્રેસ નેતા એહસાન જાફરીના પત્ની હતા. તેઓ વર્ષ 2002થી કાયદાકીય લડત લડતા હતા. ઝકિયા જાફરીએ તપાસ માટે માગ કરી હતી. અને તેમના પતિના ગુનેગારોને સજા અપાવવા માટે લાંબી લડત ચલાવી હતી. સવારે તેમને બેચેની થતા તબીબી સારવાર અપાઇ હતી. જે બાદ તેઓને ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા.
ઝાકિયા જાફરીનું અવસાન
ઝાકિયા જાફરીનું અવસાન વય સંબંધિત સમસ્યાઓના કારણે થયું હતુ. તેઓએ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 86 વર્ષના હતા. વર્ષ 2023 સુધી ઝાકિયા ગુલબર્ગ સોસાયટીમાં તેમના ઘરના અવશેષોની મુલાકાત લેતા હતા. વર્ષ 2002થી ગુજરાત સરકાર સામે લાંબી કાનૂની લડાઈને કારણે તે પીડિતો માટે ન્યાય માટેની લડાઈનો ચહેરો બન્યા હતા.
ઝાકિયાના દીકરાએ શું કહ્યું?
ઝાકિયા જાફરીના પુત્ર તનવીર જાફરીએ જણાવ્યું કે તેમની માતા અમદાવાદમાં તેમના પુત્રીના ઘરે ગયા હતા. તેણીએ સવારનો નિત્યક્રમ પૂર્ણ કર્યો અને તેના પરિવારના સભ્યો સાથે સામાન્ય રીતે વાતચીત કરી રહી હતી. આ સમય દરમિયાન તેમણે અસ્વસ્થતા અનુભવવાની ફરિયાદ કરી. ડોક્ટરોને બોલાવવામાં આવ્યા. સવારે લગભગ 11-30 કલાકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
What's Your Reaction?






