Viramgam: સબાઇનનો ગુલ નળ સરોવરનું મોંઘેરું અતિથિ બન્યું

Jun 2, 2025 - 03:00
Viramgam: સબાઇનનો ગુલ નળ સરોવરનું મોંઘેરું અતિથિ બન્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લાના વિશ્વ પ્રસિધ્ધ નળસરોવરનું દુર્લભ આર્કટિક પક્ષી સબાઈન ગુલ તાજેતરમાં મોંઘેરું અતિથિ બનતાં પક્ષી વિદ્દોમાં ખુશી સાથે રોમાંચની લહેર ફરી વળી છે. નળસરોવર પક્ષી અભિયારણ્યના રોજમદાર અને પક્ષીવિદ ગનીભાઇ રહીમભાઈ સમાએ યાયાવર પક્ષી સબાઇનનો ગુલને ગત તા.30મી મેએ સવારે 9 કલાકે સરોવરમાં શોધી કાઢેલું હતું અને રેકોર્ડ શટ માટે ફોટોગ્રાફી કરી વન વિભાગને જાણ કરી હતી.

જાહેર પક્ષી અવલોકન ડેટાબેસ ઈ-બર્ડ અનુસાર આ અદ્દભૂત નજારો ભારતમાં છેલ્લે વર્ષ 2013માં કેરળ રાજ્યમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ સૌપ્રથમવાર દુર્લભ પક્ષી ગુજરાતની ધરાનું અતિથિ બન્યું છે. નળ સરોવર વન્યજીવ અભયારણ્ય- રામસર સાઇટ ખાતે વન વિભાગના કર્મચારીઓને દુર્લભ પક્ષી સબાઇનનો ગુલ જોવા મળ્યું હતું. જે પક્ષીપ્રેમીઓ અને પક્ષી વૈજ્ઞાનિકો માટે રોમાંચક ક્ષણ હતી. આ પક્ષી વેટલેન્ડમાં ખુલ્લા પાણીમાં જોવા મળ્યું કે જેને અભયારણ્યના કર્મીઓ,મુલાકાતી પક્ષીપ્રેમીઓએ આનંદપૂર્વક નિહાળ્યું હતું તેમ નળ સરોવર પક્ષી અભ્યારણ્ય ડિવીઝનના નાયબ વન સંરક્ષક ડૉ.સકીરા બેગમે વધુમાં વિગતો આપતાં જણાવ્યું હતું. વધુમાં સબાઇનનો ગુલનું ભારતીય ઉપમહાદ્વીપ પર ભ્રમણ કરવું એ ખૂબ દુર્લભ છે.

દુર્લભ પક્ષીના સ્થળાંતરનો માર્ગ ભારતમાંથી પસાર થતો નથી

સબાઇનનો ગુલ મુખ્યત્વે ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ અને સાયબેરિયાના ઊંચા અક્ષાંશવાળા આર્કટિક વિસ્તારોમાં પ્રજનન કરે છે કે જ્યાં તે ટુંડ્રાની ભીની જમીન(આર્દ્રભૂમિ) નજીક માળો બનાવી વસવાટ કરે છે. તે મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અપવેલિંગ વિસ્તારોમાં શિયાળો પસાર કરવા માટે લાંબા અંતરનો પ્રવાસ કરે છે કે જે દક્ષિણ અમેરિકા તેમજ આફ્રિકાના પશ્ચિમી કિનારાઓથી દૂર ઉત્પાદક સમુદ્રી વિસ્તાર છે. અન્ય પક્ષીઓની જેમ સબાઇનનો ગુલનો સ્થળાંતર માર્ગ ભારતમાંથી પસાર થતો નથી. તેથી, ભારતમાં તેનું દેખાવું દુર્લભ અને અણધાર્યું ગણાય છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે આ પક્ષી તેનો માર્ગ ભટકી જતાં અહીં પહોંચ્યું હોય. પરંતુ આ પ્રકારનું અવલોકન અને નોંધણીઓ પક્ષીઓના અભ્યાસકર્તાઓ માટે ખૂબ જ રસપ્રદ ઘટના છે.

નળ સરોવર યાયાવર વિહંગોને સુરક્ષિત આશરો પૂરો પાડે છે

નળ સરોવર ભારતના સૌથી મોટા અને પર્યાવરણીય રીતે મહત્વના આર્દ્રભૂમિ અભયારણ્યોમાંનું એક છે કે જે ફ્લેમિંગ, પેલિકન્સ, બતક અને વાડર જેવી અનેક સ્થળાંતરક અને સ્થાયી પક્ષી જાતિઓ માટે સુરક્ષિત આશરો પૂરો પાડે છે. સબાઇનનો ગુલનું અચાનક દેખાવું આ અભયારણ્યની વૈશ્વિક સ્તરે પક્ષી જીવન માટેની મહત્વની ઓળખમાં વધારો કરે છે અને નળ સરોવરનું વૈશ્વિક પક્ષીશાસ્ત્ર્રમાં સ્થાન વધુ મજબૂત કરે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0