Vaghodiya: MLAએ વીજ સમસ્યાને લઇ અધિકારીઓને તતડાવી નાખ્યાં

Jun 1, 2025 - 02:00
Vaghodiya: MLAએ વીજ સમસ્યાને લઇ અધિકારીઓને તતડાવી નાખ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાઘોડિયા સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય દ્વારા લોક ફરિયાદ નિવારણ માટે બેઠક યોજાઈ

વાઘોડિયામાં છાશવારે વીજ પુરવઠો ખોરવાની સમસ્યાને લઈને તાલુકાની જનતા પરેશાન છે. MGVCLના અધિકારીઓ પ્રજાને યોગ્ય જવાબ ન આપતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ લોકોની ફરીયાદને પગલે MGVCLના અધિકારીઓને આડે હાથ લીધા હતા.

વાઘોડિયામાં જનતાની પરેશાની સાંભળવા માટે એક મિટિંગનું આયોજન વાઘોડિયા વિશ્રામ ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 100 માંથી 80 ફરિયાદ વીજ કંપનીને લઈ મળતા હાજર અધિકારીઓ પૈકી MGVCL ખટંબા અને વાઘોડિયાના અધિકારીઓ સંતોષકારક કામગીરી નહીં કરતા હોવાથી પ્રજામાં નારાજગી જોવા મળી હતી. છાશવારે વાઘોડિયામાં વીજ પુરવઠો ખોટકાવાની સમસ્યાના કારણે અનેકના ધંધા રોજગાર, કચેરી અને બેન્કિંગના કામો અટકી પડે છે, આ સિવાય તાલુકામાં ખેતી વિશયક વીજ પુરવઠો પણ વાવાઝોડા બાદ કેટલાક વિસ્તારોમાં યથાવત કરાયો નથી. લોકોની ખેતી સુકાઈ રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0