Vadodara:રેશનકાર્ડ લાભાર્થીઓ માટે પોસ્ટ વિભાગનું EKYC અભિયાન શરૂ

Jun 20, 2025 - 04:30
Vadodara:રેશનકાર્ડ લાભાર્થીઓ માટે પોસ્ટ વિભાગનું EKYC અભિયાન શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય પુરવઠા વિભાગ સાથે NFSA રેશન કાર્ડ લાભાર્થીઓના EKYC અપડેશનની કામગીરી કરવા માટેનો કરાર કરવામાં આવ્યો છે. જે કામગીરી સમગ્ર રાજ્યના તાબા હેઠળ સમાવિષ્ટ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા કરાઈ રહ્યું છે. તે મુજબ સબસીડી અનાજના વિતરણ કાર્યમાં પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટેના સતત પ્રયાસોના ભાગરૂપે, વડોદરા પશ્ચિમ વિભાગ દ્વારા તમામ NFSA (રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ) રેશન કાર્ડ લાભાર્થીઓ માટે EKYC અભિયાન શરૂ કર્યું છે.

આ અભિયાન 1લી જૂન 2025 થી શરૂ કરાયું છે. EKYC અપડેશનમાં બાકી રહેલા NFSA રેશન કાર્ડ લાભાર્થીઓને આ સેવા ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ વડોદરા પશ્ચિમ વિભાગના ટી. એન. મલેકના માર્ગદર્શન હેઠળના કર્મચારીઓને ગામડે- ગામડે, ઘરે ઘરે મોકલીને, વિવિધ પ્રકારના કેમ્પો આયોજીત કરીને અપાઈ રહી છે. આ કામગીરી વિનાઃમુલ્યે વડોદરા પશ્ચિમ વિભાગના તાબા હેઠળની 36 ડીલીવરી હેડ તથા સબ પોસ્ટ ઓફિસો તેમજ 258 બ્રાંચ પોસ્ટ ઓફિસો દ્વારા હાથ ધરાઈ છે. જેનો મુખ્ય હેતુ NFSA રેશન કાર્ડ લાભાર્થીઓની વિગતો આધારિત EKYC દ્વારા ચકાસીને સુધારવાનો છે. આ અભિયાન નકલી અથવા અયોગ્ય લાભાર્થીઓની વિગતોને દૂર કરીને માત્ર યોગ્ય લાભાર્થીઓ સુધી જ ખાદ્ય સુરક્ષાના લાભો પહોંચે તેનામાં મદદરૂપ થશે. જેમાં જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે. 18 જૂન સુધીમાં કૂલ 8142 NFSA રેશન કાર્ડ લાભાર્થીઓએ આ સેવાનો લાભ લીધેલ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0