Vadodara મનપાના અધિકારીઓ પર નગરસેવકે લગાવ્યો ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશ સહિત ગુજરાતમાં ઘણીવાર સરકારી કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લોકો દ્વારા કરાતો હોય છે. ત્યારે વડોદરામાં પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ સ્થાનિક નગર સેવક દ્વારા કરવામાં આવેલ છે. જેમાં તેઓએ વડોદરા મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે ભ્રષ્ટાચાર કર્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. નવા યાર્ડમાં સારી ક્વોલિટીના ડિવાઈડર બ્લોક હટાવીને નવા નાખીને પ્રજાના પૈસાનું પાણી કરાતું હોવાનો આક્ષેપ નગર સેવક દ્વારા કરવામાં આવ્યો છે. ફાલતુ કામ પાછળ નાણાનો વેડફાટ કર્યુ હોવાનું જણાવ્યું છે.
નગર સેવકે લગાવ્યો આરોપ
નગર સેવક જહા ભરવાડે વડોદરા મનપાના અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. જેમાં તેમણે જણાવેલું કે, વડોદરામાં આવેલા નવાયાર્ડ વિસ્તારમાં સારી ક્વોલિટીના ડિવાઈડર હટાવી લેવામાં આવ્યા હતા.જે પછી નવા ડિવાઈડર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી છે. તો જૂના ડિવાઈડર બ્લોકને ટૂંક સમય પહેલા જ રંગરોગાન કરાયું હતું. જેનો ખર્ચ મનપાના અધિકારીઓએ કર્યો હતો. તો જુના ડિવાઈડરને હટાવી લઈને નવા ડિવાઈડર નાખવામાં આવ્યા છે.જે અંગે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનું જણાવેલ છે.
તપાસની કરી માંગણી
નગર સેવક જહા ભરવાડે વધુ આક્ષેપ કર્યો હતો. નવા ડિવાઈડરની જરુર ન હોવા છતાં નવીન પથ્થર નાખવાની કામગીરી કેમ કરવામાં આવી છે.કોન્ટ્રાક્ટરના લાભાર્થે અધિકારીઓ કામ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેના લીધે જરુરી કામને બદલે ફાલતુ કામોમાં જનતાના નાણાનો વેડફાટ થઈ રહ્યો છે. પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોવાનું નગર સેવકે આક્ષેપ લગાવ્યો છે. તો સ્થાનિક નગરસેવક જહા ભરવાડે મનપાના અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગણી કરી હતી.
What's Your Reaction?






