Vadodara Rain: ભારે વરસાદથી કોઝવે તૂટતા લોકોને હાલાકી, મેસર નદીમાં આવ્યા નીર

Jun 25, 2025 - 12:00
Vadodara Rain: ભારે વરસાદથી કોઝવે તૂટતા લોકોને હાલાકી, મેસર નદીમાં આવ્યા નીર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં જૂન મહિનાના મધ્યથી ચોમાસા સિઝનની વિધવિત શરૂઆત થઈ હતી. રાજ્યમાં બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાને વરસાદે બાનમાં લેતા અનેક વિસ્તારો જળબંબાકાર થયા. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 31 જિલ્લાના કુલ 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરત બાદ વડોદરામાં મેઘરાજાએ પધરામણી કરી છે. આજે સવારથી જ મેઘરાજા મહેરબાન થતા ડેસરની મેસરી નદી બે કાંઠે વહેતી થઈ છે.

વરસાદને પગલે નદીઓમાં આવ્યા નીર

ધોધામાર વરસાદના કારણે વડોદરાના ડભોઇમાં ઢાઢર નદી ગાંડીતૂર થઈ છે. જ્યારે છેલ્લા કેટલાય સમયથી સૂકી ભટ્ટ થયેલી મેસરી નદી બે કાંઠે વહેતી થઈ. મેસર નદીમાં પાણીની આવક થતા વાંકાનેડા અને કડાછલા છાલીયેર સહિતના ગ્રામજનો નદી કિનારે નવા નીર નિહાળવા ઊમટી પડ્યા હતા. કાલોલ ગોધરા મહીસાગર સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મેસરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેને લઈને તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

કોઝવેમાં પાણી ભરાતા લોકોને હાલાકી

વડોદરા જિલ્લામાં ભારે વરસાદના કારણે પ્રયાગપુરા-કરાલીપુરા માર્ગ પર પાણી ફરી વળ્યા. પાણી ફરી વળતા 7 થી 8 ગામનો સંપર્ક કપાયો. આ ઉપરાંત વાઘોડિયાના અંટોલીમાં પણ વરસાદી પાણી ભરાતા કોઝવે પાણીમાં ગરકાવ થયો. તામસી નદીના પાણી કોઝવે પર ફરી વળતા અંટોલીથી ડભોઇ જવાનો રસ્તો બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે. કયા રસ્તે કામ માટે બહાર જવુ તેને લઈને તેમની ચિંતામાં વધારો થયો છે. કોઝવેમાં પાણી ભરાવાના કારણે ગ્રામજનોએ 10 કિમી ફરીને જવાનો વારો આવ્યો છે. તામસી નદીના પાણી કોઝવે પર ફરી વળતા ખેતરોમાં પણ બેટમાં ફેરવાયા છે

આગામી સાત દિવસ વરસાદની આગાહી

ગ્રામજનોએ ફરિયાદ કરી કે દર ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે એટલે અમે તામસી નદી પર બ્રિજ બનાવવાની રજૂઆત કરી હતી. પરંતુ વિકાસના કામોમાં વ્યસ્ત તંત્ર પ્રાથમિક જરૂરિયાતના કામોમાં નિરસતા દાખવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની કરી છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા દરિયાકાંઠના વિસ્તારોને એલર્ટ કરાયા છે.  રાજયમાં ભારે વરસાદની કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ. તથા એસ.ડી. આર.એફ.ની કુલ ૩૪ ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0