Vadodara: AI ક્યારેય OI - ઓરીજનલ ઈન્ટેલિજન્સને રિપ્લેઇસ કરી શકે નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સ - AI ક્યારેય OI - ઓરીજનલ ઈન્ટેલિજન્સને રીપ્લેસ કરી શકે નહીં. માણસની બુધ્ધીમત્તા જ શ્રોષ્ઠ છે. આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સને કારણે સી એ નુ કામ સહેલુ અને ઝડપી થઈ રહ્યુ છે. એ મદદરૂપ ટેકનોલોજી છે. ઉપરાંત તેના કારણે સમયનો પણ બચાવ થઈ રહ્યો છે તેમ શહેરમાં આયોજીત કરાયેલી બે દિવસીય નેશનલ કોન્ફરન્સના પ્રારંભે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ICAI- ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ CA ચરણજોત સિંહ નંદાએ જણાવ્યુ હતુ.
વી આર ફાઈનાન્સિયલ સોલ્જર્સ ઓફ ધ કંટ્રી તેમ જણાવતાં નેશનલ પ્રેસિડેન્ટે ઉમેર્યું હતુ કે CA પણ પાંચ ટ્રીલીયન ઈકોનોમી તરફ દેશને લઈ જવા મહત્વનુ યોગદાન આપી રહ્યાં છે. હાલ દેશમાં અંદાજે 4.85 લાખ CA છે. આગામી વર્ષ 2050 સુધી દેશને કુલ 50 લાખ CA ની જરૂરીયાત પડશે.
ઈન્સ્ટીટયુટ AI પર ફોક્સ કરી રહી છે. AI ને વધુમાં વધુ કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય તે માટેના શોર્ટ સર્ટીફીકેટ કોર્સ પણ લોંચ કરાયા છે. વડોદરામાં આ કોર્સની ચાર બેચ થઈ ગઈ છે. દેશભરમાંથી 25 હજાર ઉપરાંત CA એ આ કોર્સ પૂરો કર્યો છે. CHATGPT સાથે કોલાબ્રેશન કરી અમે અમારૂ સ્વતંત્ર CAGPT ડેવલપ કર્યુ છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
વેસ્ટર્ન ઈન્ડિયા રીજનલ કાઉન્લિસ-WIRC ની વડોદરા, ભરૂચ અને આણંદ બ્રાંચ ઓફ ચાર્ટર્ર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ બે દિવસીય નેશનલ કોન્ફરન્સમાં દેશભરના વિવિધ શહેરોમાંથી અંદાજે 650 ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ભાગ લઈ રહ્યાં છે.
આ પ્રસંગે સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CA વિશાલ દોશી, WIRC ના રીજનલ કાઉન્સિલ મેમ્બર CA રીકીન પટેલ, ICAIની બરોડા બ્રાંચના ચેરમેન CA ધ્રુવિક પરીખ, સેક્રેટરી CA જીગર શાહ, CA નયન કોઠારી સહીત અન્ય CA ઉપસ્થિત રહ્યા હતા.
બે દિવસ ટેકનિકલ-નોન ટેક્નિકલ સેશન્સ યોજાશે
શુક્ર અને શનિવારના બે દિવસ દરમિયાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે ટેકનિકલ અને નોન ટેકનિકલ મુદ્દાઓને સાંકળતા આઠ સેશન યોજાશે. જેમાં ઈન્કમટેક્ષને લગતાં હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના જ્જમેન્ટ્સ, પ્રેક્ટીકલ કેસ સ્ટડી ઓફ ફોરેન ઓડીટ્સ, કેપિટલ માર્કેટની વર્તમાન પરિસ્થિતિ તેમજ હેલ્થ અને વેલનેસ માટે માઈન્ડ-બોડી વર્કશોપ અંતર્ગત પેનલ ડીસ્કશન યોજાશે.
બ્લેક આઉટમાં રાત્રે બે વાગે પરીક્ષા મુલતવીનો નિર્ણય કરાયો
નાણાં ક્ષેત્રે ઉપરાંત દેશ માટે અમારી ફરજ બાબતે અમે ખૂબ સાવધ છીએ. ભાર-પાક વચ્ચે તાંજેતરમાં સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિ દરમિયાન હું પંજાબના ભટીંડામાં હતો. દેશમાં કપરી પરિસ્થિતિને પગલે અમે રાત્રે બે વાગે એક્ઝામ મુલત્વી કરવાનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત શાંતિ સ્થપાતા ફરી એક્ઝામ લેવાના નિર્ણયની જાહેરાત કરી હતી તેમ નેશનલ પ્રેસિડેન્ટે જણાવ્યુ હતુ.
CA નો અભ્યાસક્રમ હવે પાંચ વર્ષે બદલાય છે
સામાન્ય રીતે CA નો અભ્યાસક્રમ અગાઉ દર 10 વર્ષે બદલાતો હતો, હવે પાંચ વર્ષ બદલાય છે. ઉપરાંત જેમ જેમ જરૂરીયાત ઉભી થાય તેમ તેમ ફેરફાર કરીએ છીએ. હવે CA ફાઈનલની એક્ઝામ વર્ષમાં ત્રણ વાર યોજાય છે. તદ્દન પ્રોફેશનલ રીતે યોજાતી એક્ઝામમાં પ્રત્યેક સ્તરે ચેક એન્ડ બેલેન્સ છે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન સ્ટડીની સુવિધા હોવા ઉપરાંત તેમની માટે CHATGPT પણ ફરી કર્યુ છે. અમે વિદ્યાર્થીઓનુ કેરિયર કાઉન્સેલિંગ કરીએ છીએ, જેથી રીઝલ્ટ સારૂ આવે છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે એક્ઝામ્સ કેવી રીતે કન્ડક્ટ કરવી તે ICAI પાસે શીખો તેમ જણાવી નેશનલ પ્રેસિડેન્ટે CA ના કોર્સ અને તેની પરીક્ષા પધ્ધતિની પારદર્શિતા, તટસ્થતા અને નિષ્પક્ષતાની ભારોભાર પ્રશંસા કરી કોઈપણ પ્રકારની ગેરરિતીની શક્યતાઓ નકારી કાઢી હતી.
What's Your Reaction?






