Vadodaraના સાવલીમાં સાપ કરડવાથી 70 વર્ષની વૃદ્ધાનું કરુણ મોત

Jul 29, 2025 - 21:00
Vadodaraના સાવલીમાં સાપ કરડવાથી 70 વર્ષની વૃદ્ધાનું કરુણ મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના નહારા ગામમાં એક દુઃખદ ઘટના બની હતી. જ્યાં એક વૃદ્ધ મહિલાને સાપ કરડતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. નહારા ગામમાં રહેતા બાલુબેન જામસિંહ પરમાર જેમની ઉંમર 70 વર્ષ હતી તે પોતાના ઘરમાં જ હતા ત્યારે તેમને અચાનક સાપે દંશ દીધો હતો.

પ્રાથમિક તપાસમાં ઝેરના પ્રસરણથી મોત થયુ હોવાનુ સામે આવ્યું

સાપ કરડ્યા બાદ બાલુબેનની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સાવલી ખાતે આવેલી જન્મોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબો દ્વારા બાલુબેન પરમારને તપાસીને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સાપ કરડવાના કારણે થયેલા ઝેરના પ્રસરણથી તેમનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

ચોમાસાની ઋતુમાં સાપ કરડવાના બનાવોમાં થયો વધારો

આ ઘટનાને પગલે નહારા ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ચોમાસાની ઋતુમાં સાપ કરડવાના બનાવોમાં વધારો થતો હોય છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોએ વધુ સાવચેતી રાખવી જરૂરી બની રહે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0