Surendranagar: મારામારીમાં વચ્ચે પડેલ સગર્ભા મહિલાને પેટમાં પાટુ વાગતા ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
થાનના વગડીયા રોડ પર આવેલ વાદીપરામાં 23 વર્ષીય આનંદીબેન વિશાલભાઈ કેરવાડીયા રહે છે. તેમનો ભાઈ વિરેન છેલ્લા દોઢ વર્ષથી તેમની સાથે રહે છે અને મજુરી કરે છે. આનંદીબેન હાલ સગર્ભા છે. અને તેઓને 8 માસનો ગર્ભ રહે છે. તા. 19-9ના રોજ સાંજે નવઘણ ભાણો વીરેનભાઈ સાથે ઝઘડો કરતો હતો. આથી તેણે બનેવી વિશાલભાઈને ફોન કરતા તેઓ ત્યાં જતા નવઘણ ભાણો અને તેના મામા નવઘણ સોમાભાઈ વીંજવાડીયા, હરેશ સોમાભાઈ વીંજવાડીયા સહિતનાઓ વિરેનભાઈ અને વીશાલભાઈને માર મારતા હતા.
આ સમયે આનંદીબેન વચ્ચે પડતા ઝપાઝપીમાં આનંદીબેનને પેટના ભાગે પાટુ વાગ્યુ હતુ. જેમાં તેઓને દુઃખાવો થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની થાન પોલીસ મથકે નવઘણ વીંજવાડીયા અને હરેશ વીંજવાડીયા સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી ડી.સી.લકુમ ચલાવી રહ્યા છે.
What's Your Reaction?






