Surendranagar: જિલ્લામાં ડુપ્લીકેટ ખાતરનો પર્દાફાશ, 200થી વધુ ખેડૂતો ભોગ બન્યા

ખેડૂતોની ફરિયાદ બાદ નમૂના લેબમાં મોકલાયા 200થી વધુ ખેડૂતો ડુપ્લીકેટ ખાતર, બિયારણનો ભોગ બન્યા ચુડા, લીંબડી, ચોટીલા વિસ્તારમાં ખેડૂતો બન્યા ભોગ સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લીકેટ ખાતરનો પર્દાફાશ થયો છે. ખેડૂતોની ફરિયાદ બાદ નમૂના લેબમાં મોકલાયા છે. તેમાં 200થી વધુ ખેડૂતો ડુપ્લીકેટ ખાતર, બિયારણનો ભોગ બન્યા છે. ચુડા, લીંબડી, ચોટીલા વિસ્તારમાં ખેડૂતો ડુપ્લીકેટ ખાતર, બિયારણનો ભોગ બન્યા છે. તેમાં રિપોર્ટ બાદ નર્મદા એગ્રો સામે ગુનો દાખલ કરાશે. ડુપ્લીકેટ ખાતર, બિયારણથી પાક બળી ગયો ડુપ્લીકેટ ખાતર, બિયારણથી પાક બળી ગયો છે. સુરેન્દ્રનગરમાં ખેડૂતોની ફરિયાદ બાદ ડુપ્લીકેટ ખાતર અને બિયારણના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના ચુડા, લીંબડી, ચોટીલા વિસ્તારના 200 થી વધુ ખેડૂતોને ડુપ્લીકેટ ખાતર અને બિયારણ ખરીદી કરી પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નર્મદા એગ્રો સામે કાર્યવાહી કરવા અને ગુનો દાખલ કરવા માટે ખાતર અને બિયારણના નમૂના લેબમાં ટેસ્ટિંગ માટે મોકવામાં આવ્યા છે. રીપોર્ટ આવ્યા બાદ ડુપ્લીકેટ ખાતર અને બિયારણ ખેડૂતોને પધરાવી દેનાર નર્મદા એગ્રો સામે ગુનો દાખલ કરાશે. 200 થી વધુ ખેડૂતોની જમીનો બંજર બની ગઈ છે ડુપ્લીકેટ બિયારણથી ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ગયું અને ડુપ્લીકેટ ખાતર વપરાશના પગલે ઉભા પાકો બળી ગયો છે. જેમાં 200 થી વધુ ખેડૂતોની જમીનો બંજર બની ગઈ છે. તેથી તાત્કાલિક નર્મદા એગ્રો સામે ગુનો દાખલ કરી વળતરની ખેડૂતોની માગ છે. અગાઉ સાયલા તાલુકાના છડીયાળી ગામે 30થી વધુ ખેડૂતોને ભરમાવી ઓર્ગેનિકના નામે નકલી ખાતર પધરાવતા થયેલા નુકશાનનો પર્દાફાશ થતા જિલ્લા તેમજ તાલુકાના સરકારી તંત્રમાં દોડધામ મચી જવા સાથે અધિકારીઓને ગામના ખેડૂતો તેમજ ખેતરોની જાતે મુલાકાત લેવાની ફરજ પડી હતી. નકલી ખાતરના કારણે 400થી 500 વિઘાનું વાવેતર બળી જતા જગતનો તાત લાચાર બની વિમાસણમાં મુકાઈ જવા પામ્યો હતો. ત્યારે સરકારી અધિકારીઓ દ્વારા માટીના નમુના લેવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ નકલીનો વેપલો કરીને ખેડૂતોને રાતા પાણીએ રોવડાવનાર ડીલર, વેપારી વિરુદ્ધ તંત્રની ઢીલી નીતિને જોતા ગામલોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

Surendranagar: જિલ્લામાં ડુપ્લીકેટ ખાતરનો પર્દાફાશ, 200થી વધુ ખેડૂતો ભોગ બન્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેડૂતોની ફરિયાદ બાદ નમૂના લેબમાં મોકલાયા
  • 200થી વધુ ખેડૂતો ડુપ્લીકેટ ખાતર, બિયારણનો ભોગ બન્યા
  • ચુડા, લીંબડી, ચોટીલા વિસ્તારમાં ખેડૂતો બન્યા ભોગ

સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લીકેટ ખાતરનો પર્દાફાશ થયો છે. ખેડૂતોની ફરિયાદ બાદ નમૂના લેબમાં મોકલાયા છે. તેમાં 200થી વધુ ખેડૂતો ડુપ્લીકેટ ખાતર, બિયારણનો ભોગ બન્યા છે. ચુડા, લીંબડી, ચોટીલા વિસ્તારમાં ખેડૂતો ડુપ્લીકેટ ખાતર, બિયારણનો ભોગ બન્યા છે. તેમાં રિપોર્ટ બાદ નર્મદા એગ્રો સામે ગુનો દાખલ કરાશે.

ડુપ્લીકેટ ખાતર, બિયારણથી પાક બળી ગયો

ડુપ્લીકેટ ખાતર, બિયારણથી પાક બળી ગયો છે. સુરેન્દ્રનગરમાં ખેડૂતોની ફરિયાદ બાદ ડુપ્લીકેટ ખાતર અને બિયારણના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના ચુડા, લીંબડી, ચોટીલા વિસ્તારના 200 થી વધુ ખેડૂતોને ડુપ્લીકેટ ખાતર અને બિયારણ ખરીદી કરી પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નર્મદા એગ્રો સામે કાર્યવાહી કરવા અને ગુનો દાખલ કરવા માટે ખાતર અને બિયારણના નમૂના લેબમાં ટેસ્ટિંગ માટે મોકવામાં આવ્યા છે. રીપોર્ટ આવ્યા બાદ ડુપ્લીકેટ ખાતર અને બિયારણ ખેડૂતોને પધરાવી દેનાર નર્મદા એગ્રો સામે ગુનો દાખલ કરાશે.

200 થી વધુ ખેડૂતોની જમીનો બંજર બની ગઈ છે

ડુપ્લીકેટ બિયારણથી ખેડૂતોનું વાવેતર નિષ્ફળ ગયું અને ડુપ્લીકેટ ખાતર વપરાશના પગલે ઉભા પાકો બળી ગયો છે. જેમાં 200 થી વધુ ખેડૂતોની જમીનો બંજર બની ગઈ છે. તેથી તાત્કાલિક નર્મદા એગ્રો સામે ગુનો દાખલ કરી વળતરની ખેડૂતોની માગ છે. અગાઉ સાયલા તાલુકાના છડીયાળી ગામે 30થી વધુ ખેડૂતોને ભરમાવી ઓર્ગેનિકના નામે નકલી ખાતર પધરાવતા થયેલા નુકશાનનો પર્દાફાશ થતા જિલ્લા તેમજ તાલુકાના સરકારી તંત્રમાં દોડધામ મચી જવા સાથે અધિકારીઓને ગામના ખેડૂતો તેમજ ખેતરોની જાતે મુલાકાત લેવાની ફરજ પડી હતી. નકલી ખાતરના કારણે 400થી 500 વિઘાનું વાવેતર બળી જતા જગતનો તાત લાચાર બની વિમાસણમાં મુકાઈ જવા પામ્યો હતો. ત્યારે સરકારી અધિકારીઓ દ્વારા માટીના નમુના લેવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ નકલીનો વેપલો કરીને ખેડૂતોને રાતા પાણીએ રોવડાવનાર ડીલર, વેપારી વિરુદ્ધ તંત્રની ઢીલી નીતિને જોતા ગામલોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.