Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં હાઉસ ટુ હાઉસ મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જિલ્લામાં તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ (ગણતરી પત્રક) વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આ સમયગાળા દરમિયાન મતદારો ગણતરી પત્રક (Enumeration Form) તેમને મળ્યા બાદ તેમાં વિગતો ભરીને બી.એલ.ઓ.ને ગણતરી ૫ત્રક (Enumeration Form) જમા કરાવવાનું રહેશે.
ગણતરી ૫ત્રકોની અલગ-અલગ યાદી બનાવવામાં આવશે
ત્યારબાદ વિધાનસભા મતદાર વિભાગના તમામ ભાગોમાંથી ૫રત મળેલ તમામ ગણતરી ૫ત્રકો (Enumeration Form)ની મુસદ્દા મતદારયાદી સબંધિત ભાગના મતદાર નોંધણી અધિકારીશ્રી દ્વારા તા.૦૯/૧૨/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ સાથે ૫રત ન મળેલ ગણતરી ૫ત્રકો(Enumeration Form)ની અલગ યાદી બનાવી નિયત સ્થળો ૫ર લગાવવામાં આવશે. ત્યારબાદ આ તમામ ફોર્મની ચકાસણી કરી સબંધિત તમામ મતદાર નોંધણી અધિકારીશ્રી દ્વારા નિર્ણયની કામગીરી, પુરાવાની જરૂરીયાત હોય તેવા મતદારોને નોટીસ આપી સુનાવણીની કામગીરી હાથ ધરશે. આધાર પુરાવા મેળવીને આખરી મતદારયાદી તા.૦૭/૦૨/૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરાશે.
અંતિમ મતદાર યાદીની તારીખ 7 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ કરાશે
ગણતરી પત્રક વિતરણ તા. ૪ નવેમ્બર થી ૪ ડિસેમ્બર ૨૦૨૫, હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ તા. ૯ ડિસેમ્બર ૨૦૨૫ અને સુધારા અને દાવાની તારીખ ૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૮ જાન્યુઆરી ૨૦૨૬ છે. નોટિસ તબક્કો (સુનાવણી અને ચકાસણી) તા. ૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ અને અંતિમ મતદાર યાદીની તારીખ ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

