Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય તેમજ તમામ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 24 સપ્ટેમ્બરના રોજ યોજાશે

Sep 7, 2025 - 15:00
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય તેમજ તમામ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 24 સપ્ટેમ્બરના રોજ યોજાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે તા.૧૦ સુધીમાં swagat.gujarat.gov.in વેબસાઈટ પર સાંજના 6 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે. અરજદારે ઓનલાઈન અરજી કરી હોય તે તમામ આધારોની પીડીએફ ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની હોય છે. અલગ-અલગ વિષય દર્શાવતાં પ્રશ્નો માટે અલગ-અલગ અરજી કરવામાં આવે છે. એક અરજદાર વધુમાં વધુ બે પ્રશ્નો જ રજૂ કરી શકે છે.

તમામ આધારોની પી.ડી.એફ. ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે

જે રજૂઆતો નીચલી કક્ષાએ વારંવાર થઈ હોય અને તેનું નિરાકરણ થઈ આવતું ન હોય તેવી અરજીઓ આ કાર્યક્રમમાં સમાવેશ કરવાની થતી હોવાથી જે તે સબંધિત કચેરી તરફથી યોગ્ય પ્રત્યુત્તર મળેલ ન હોય તો તેના આધારો સાથે ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં ઓનલાઈન અરજી કરી તે તમામ આધારોની પી.ડી.એફ. ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે.

ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવતો નથી

ગ્રામ્ય કક્ષાના પ્રશ્નો, ફરિયાદો માટે તા. ૧૦ સુધીમાં અરજી/પ્રશ્નો બે નકલમાં સંબધિત તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપવાની રહે છે. અત્રે નોંધનીય છે કે, સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવતો નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0