Surendranagar મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાને લઈ ફરિયાદ નિવારણ કેન્દ્ર કાર્યરત થયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની પાણી, રોડ-રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ સહિતની સમસ્યાઓનો ઉકેલ લાવવા 7 માર્ચ, 2025 ના રોજ હેલ્પલાઇન નંબર 02752 284406 તથા E-Mail: [email protected] જાહેર કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર ફરિયાદ નિવારણ કેન્દ્ર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે કાર્યરત આ "ફરિયાદ નિવારણ કેન્દ્ર" ખાતે મેં 2025 સુધીમાં પાણી સંબંધી 392 ફરિયાદો મળી હતી જે પૈકી 329 ફરીયાદનો ઉકેલ લાવવામાં આવ્યો છે. વધુમાં ગટર સંબંધિત 113 ફરિયાદો પૈકી 88 ફરિયાદો, રોડ સંબંધિત 19 ફરિયાદો પૈકી 15 ફરિયાદો, ઈલેક્ટ્રીક સંબંધિત 906 ફરિયાદો પૈકી 887 ફરિયાદો, સ્વચ્છતા સંબંધીત 180 ફરિયાદો પૈકી 120 ફરિયાદો અને અન્ય ૪૭ ફરિયાદો પૈકી 36 ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.
અત્યાર સુધીમાં કુલ 1657 ફરિયાદો મળી
આમ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના “ફરિયાદ નિવારણ કેન્દ્ર” ખાતે અત્યાર સુધીમાં કુલ 1657 ફરિયાદો મળેલ છે, જે પૈકી 1475 ફરિયાદનો ઉકેલ લાવવામાં આવ્યો છે, જ્યારે બાકી રહેલી 182 ફરિયાદોના નિવારણની કામગીરી ચાલી રહી છે.
સુરેન્દ્રનગરમાં જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો
હીટવેવના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરીકોને અસુવિધા ન થાય તે માટે જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જે આગામી તા.૦૯/૦૬/૨૦૨૫ ને સોમવારથી મામલતદાર કચેરી સુરેન્દ્રનગર(શહેર)ના જનસેવા કેન્દ્ર ખાતે વિવિધ પ્રકારના પ્રમાણપત્રો મેળવવા માટે અરજીઓ સ્વીકારવાનો સમય રાબેતા મુજબ સવારે ૧૦:૩૦ થી ૨:૦૦ કલાક તથા બપોરે ૩:૦૦ થી ૫:૦૦ સુધીનો રહેશે. જેની નોંધ લેવા મામલતદાર શહેર એમ.બી દવેની યાદીમાં જણાવાયું છે.
What's Your Reaction?






