Surendranagar: મનપાના સફાઈ કામદારોને બે માસથી બાકી પગાર ચૂકવવા માગણી

Feb 21, 2025 - 06:00
Surendranagar: મનપાના સફાઈ કામદારોને બે માસથી બાકી પગાર ચૂકવવા માગણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 300થી વધુ સફાઈ કામદારો કોન્ટ્રાકટ બેઈઝ હેઠળ કામ કરે છે. હાલ મનપા વિસ્તારમાં દિવસ-રાત સફાઈ અભિયાન ચાલે છે. ત્યારે શહેરને સ્વચ્છ રાખવામાં તેઓનો અગત્યનો ફાળો છે.

પરંતુ છેલ્લા બે માસથી કોન્ટ્રાકટર કંપની ઉમા એન્ટરપ્રાઈઝ દ્વારા સફાઈ કામદારોને પગાર ચૂકવવામાં આવ્યો નથી. આથી પછાત સમાજમાંથી આવતા એવા સફાઈ કામદારોને જીવન નીર્વાહ મુશ્કેલ બન્યો છે. જેના લીધે તા. 19મી ફેબ્રુઆરીને બુધવારે ગુજરાત રાજય કર્મચારી સંઘના નેજા હેઠળ મયુરભાઈ પાટડીયા, અરૂણ વાઘેલા, વલ્લભભાઈ મારૂ સહિતનાઓએ મનપાના કમીશ્નરને લેખિતમાં રજૂઆત કરી બે માસથી બાકી પગાર ચૂકવવા માંગ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0