Surendranagar: આઠ નરાધમોએ સગીરા પર સાત માસ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક થાન વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર દિકરી સાતેક માસ પહેલાં એક શખ્સના સંપર્કમાં આવી હતી. જેમાં આ શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ બનાવ બાદ અન્ય શખ્સો પણ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરતા હતા. એક શખ્સ દ્વારા ગત તા. 12-10-24ના રોજ સગીરાને થાનથી ચોટીલા, લીંબડી અને ત્યારબાદ સુરત શહેર ખાતે લઈ જવાઈ હતી. સમગ્ર હકીકત સામે આવતા સગીરાની માતાએ થાન પોલીસ મથકે 8 નરાધમો સાથે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને લલચાવી, ફોસલાવી ભગાડી જવાના અને સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે થાન પોલીસ મથકે 8 નરાધમો સામે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. થાન પોલીસ મથકેથી વધુમાં મળતી માહિતી મુજબ થાનમાં રહેતા પરિવારને સંતાનમાં 3 દિકરીઓ અને 1 દિકરો છે. જેમાં સૌથી નાની દીકરી હાલ 17 વર્ષ અને ર માસની છે. આ સગીરા ગત તા. 12-10-24ના રોજ અચાનક કયાંક ચાલી ગઈ હતી. સગા-સંબંધીના ઘરે તપાસ કર્યા બાદ સગીરાની ભાળ ન મળતા પરિવાર આખરે થાન પોલીસ મથકે પહોંચ્યો હતો. અને સગીરાને પોલીસ શોધી લાવી હતી. ત્યારબાદ ઘરે જતા સગીરાની માતાએ ફોસલાવી પુછતા સગીરાએ સનસનીખેજ આપવીતિ વર્ણવી હતી. જેમાં સાતેક માસ પહેલા સગીરાને દર્શન મુકેશભાઈ સદાદીયા સાથે સંપર્ક થયો હતો. અને આ શખ્સ હરિનગર ખાતેના એક મકાનમાં સગીરાને લઈ ગયો હતો. અને દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં અજય મનાભાઈ અલગોતર, શૈલેષ ઉકાભાઈ અલગોતર, ધ્રુવ મહેન્દ્રભાઈ ચાવડા, કૌશીક ઉર્ફે લાલો હરેશભાઈ ગોસ્વામી, વિજયસીંહ નરેન્દ્રસીંહ સોલંકી અલગ-અલગ સમયે હરિનગરમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા હતા. ગત તા. 12-10ના રોજ અજય ભરવાડ સગીરાને થાનથી ચોટીલા લઈ ગયો હતો. ત્યાંથી લીંબડી અને સુરત લઈ જવાઈ હતી. જેમાં કાના ઉર્ફે હરિએ સુરત તેની ગર્લફ્રેન્ડના ઘરે સગીરાને રાખી હતી.

Surendranagar: આઠ નરાધમોએ સગીરા પર સાત માસ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક થાન વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર દિકરી સાતેક માસ પહેલાં એક શખ્સના સંપર્કમાં આવી હતી. જેમાં આ શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ બનાવ બાદ અન્ય શખ્સો પણ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરતા હતા. એક શખ્સ દ્વારા ગત તા. 12-10-24ના રોજ સગીરાને થાનથી ચોટીલા, લીંબડી અને ત્યારબાદ સુરત શહેર ખાતે લઈ જવાઈ હતી. સમગ્ર હકીકત સામે આવતા સગીરાની માતાએ થાન પોલીસ મથકે 8 નરાધમો સાથે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને લલચાવી, ફોસલાવી ભગાડી જવાના અને સગીરાઓ સાથે દુષ્કર્મ આચરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે થાન પોલીસ મથકે 8 નરાધમો સામે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. થાન પોલીસ મથકેથી વધુમાં મળતી માહિતી મુજબ થાનમાં રહેતા પરિવારને સંતાનમાં 3 દિકરીઓ અને 1 દિકરો છે. જેમાં સૌથી નાની દીકરી હાલ 17 વર્ષ અને ર માસની છે. આ સગીરા ગત તા. 12-10-24ના રોજ અચાનક કયાંક ચાલી ગઈ હતી. સગા-સંબંધીના ઘરે તપાસ કર્યા બાદ સગીરાની ભાળ ન મળતા પરિવાર આખરે થાન પોલીસ મથકે પહોંચ્યો હતો. અને સગીરાને પોલીસ શોધી લાવી હતી. ત્યારબાદ ઘરે જતા સગીરાની માતાએ ફોસલાવી પુછતા સગીરાએ સનસનીખેજ આપવીતિ વર્ણવી હતી. જેમાં સાતેક માસ પહેલા સગીરાને દર્શન મુકેશભાઈ સદાદીયા સાથે સંપર્ક થયો હતો. અને આ શખ્સ હરિનગર ખાતેના એક મકાનમાં સગીરાને લઈ ગયો હતો. અને દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં અજય મનાભાઈ અલગોતર, શૈલેષ ઉકાભાઈ અલગોતર, ધ્રુવ મહેન્દ્રભાઈ ચાવડા, કૌશીક ઉર્ફે લાલો હરેશભાઈ ગોસ્વામી, વિજયસીંહ નરેન્દ્રસીંહ સોલંકી અલગ-અલગ સમયે હરિનગરમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા હતા. ગત તા. 12-10ના રોજ અજય ભરવાડ સગીરાને થાનથી ચોટીલા લઈ ગયો હતો. ત્યાંથી લીંબડી અને સુરત લઈ જવાઈ હતી. જેમાં કાના ઉર્ફે હરિએ સુરત તેની ગર્લફ્રેન્ડના ઘરે સગીરાને રાખી હતી.