Surendranagarના થાનગઢમાં ઉદ્યાન માટે વિનામૂલ્યે જમીન ફાળવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરોને હરિયાળા, સ્વચ્છ અને ટકાઉ બનાવવાના પ્રયાસો અવિરતપણે ચાલુ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા થાનગઢ શહેરના પર્યાવરણીય અને સૌંદર્યલક્ષી વિકાસ માટે લોકકલ્યાણ અર્થે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
થાનગઢ શહેરમાં ઉદ્યાનનું નિર્માણ થશે
શહેરના ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો કરવા અને નાગરિકોને આરોગ્યપ્રદ, આનંદદાયક તેમજ પર્યાવરણસન્મુખ જીવનશૈલી પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, થાનગઢ શહેરમાં ૫૦૦૦ ચોરસ મીટરની વિશાળ જમીન ઉપર અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એક ભવ્ય ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવશે. આ પહેલ થાનગઢના નાગરિકો માટે માત્ર એક નવું આકર્ષણ જ નહીં, પરંતુ પર્યાવરણીય સંતુલન અને શહેરના ટકાઉ વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
જમીનની ફાળવણીનો ધોરણસર હુકમ ટૂંક સમયમાં કરવામાં આવશે
આ પ્રોજેક્ટ માટે, કમિશ્નર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન, ગાંધીનગર દ્વારા થાનગઢ ખાતેના સર્વે નંબર ૨૬૨ પૈકીની ૫૦૦૦ ચોરસ મીટર જમીન ઉદ્યાન નિર્માણ માટે ફાળવવાની માંગણી કરવામાં આવી હતી. આ દરખાસ્તને મહેસૂલ વિભાગ દ્વારા ધ્યાને લઈ, તેની પર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે આ જમીન ઉદ્યાન નિર્માણ માટે વિનામૂલ્યે ફાળવવા મુખ્યમંત્રી દ્વારા નિર્ણય લઈ મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીના આધારે, જમીનની ફાળવણીનો ધોરણસર હુકમ ટૂંક સમયમાં કરવામાં આવશે.
થાનગઢના નાગરિકો માટે એક ભેટ
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા આ જમીન થાનગઢ નગરપાલિકાને વિનામૂલ્યે ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રાજ્ય સરકારની પર્યાવરણ સંરક્ષણ, શહેરી ગ્રીન સ્પેસના વિકાસ અને નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાની અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પગલું થાનગઢના નાગરિકો માટે એક ભેટ સમાન છે, જે શહેરના લોકોને આરોગ્યપ્રદ અને ટકાઉ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરશે.
ગુણવત્તાયુક્ત સમય વિતાવવા માટે એક ઉત્તમ સ્થળ બની રહેશે
આગામી સમયમાં, વન વિભાગ દ્વારા આ જમીન ઉપર ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ ઉદ્યાન શહેરના ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો કરશે. પર્યાવરણને સુધારવામાં અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે હકારાત્મક યોગદાન આપવાની સાથે સાથે, થાનગઢના નાગરિકો માટે હરવા ફરવા અને પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવા માટે એક ઉત્તમ સ્થળ બની રહેશે.
નાગરિકોને પ્રકૃતિની ગોદમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સમય વિતાવવાનો અવસર મળશે
આ ઉદ્યાનના નિર્માણથી થાનગઢ શહેરના સૌંદર્યમાં પણ વધારો થશે અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં પણ મદદ મળશે. આ પહેલ રાજ્ય સરકારના "ગ્રીન ગુજરાત" અને "સ્વચ્છ ગુજરાત" જેવા વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી થાનગઢ શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાશે અને સ્થાનિક નાગરિકોને પ્રકૃતિની ગોદમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સમય વિતાવવાનો અવસર મળશે.
What's Your Reaction?






