Suratમાં લાંચ લેતા ઝડપાયેલા અધિકારી નરેશ જાનીને ફરજમાંથી રાજય સરકારે કર્યા મુકત

સુરતમાં લાંચિયા અધિકારી સામે સરકારની લાલ આંખ પ્રોબેશનર ખાણ ખનીજ અધિકારી સામે કાર્યવાહી રાજ્ય સરકારે નરેશ જાનીને ફરજમાં મુક્ત કર્યા સુરતમાં રાજયસરકારે ખાણખનીજ વિભાગમાં પ્રોબેશન પિરિયડમાં ફરજ બજાવતા અધિકારી નરેશ જાનીને ફરજ મુકત કર્યા છે,30 જુલાઈના રોજ નરેશ જાનીની એસીબી દ્રારા ધરપકડ કરવામાં આવી હતી,સુરતના ખાણ ખનિજ વિભાગમાં આ અધિકારી ફરજ બજાવતા હતા તો એસીબીએ તેમના વતી લાંચ લેનાર કપિલ પ્રજાપતિને પણ ઝડપી પાડયો હતો,લાંચની રકમ કુલ 2 લાખ રૂપિયા હતી. રાજય સરકારનું સૌથી મોટુ પગલું ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રમા લાંચને લઈ કડક કાયદો બનાવવામાં આવ્યો છે,જેમાં અધિકારી સંપતિ જપ્ત કરવા સુધીનો કાયદો છે,સુરતમાં 30 જુલાઈના રોજ એસીબી ટ્રેપ થઈ હતી તે કેસમાં રાજયસરકારે કાર્યવાહી કરી છે અને અધિકારીને ઘર ભેગા કર્યા છે.સુરતના ખાણ ખનીજ વિભાગમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજ પર નરેશ જાનીને સેવામાંથી મુકત કર્યા છે આ અધિકારી પ્રોબેશન પિરિયડમાં લાંચ લેતા ઝડપાયા હતા.લાંચ કેસમાં નરેશ જાનીનો વચેટીયો કપિલ પ્રજાપતિ રૂ 2 લાખની લાંચ લેતા ઝડપાયો હતો. એસીબીએ રાજયસરકારને રિપોર્ટ કર્યો હતો સમગ્ર ઘટનાને લઈ એસીબીએ તપાસ કરી હતી અને પુરાવા સાથે ગુનો પણ નોંધ્યો હતો,ત્યારે ગુનાના આધારે એસીબીએ રાજયસરકારને રીપોર્ટ કર્યો હતો,રાજયસરકારે અન્ય અધિકારીઓમાં બીક પેસે તેને લઈ દાખલો બેસાડયો હતો,પોલીસે બેંક ખાતાના આધારે પણ તપાસ કરી હતી તેમજ નરેશ જાનીના ઘરે પણ તપાસ કરી હતી. અધિકારીઓ સામે લેવાયા પગલા ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે. કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

Suratમાં લાંચ લેતા ઝડપાયેલા અધિકારી નરેશ જાનીને ફરજમાંથી રાજય સરકારે કર્યા મુકત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં લાંચિયા અધિકારી સામે સરકારની લાલ આંખ
  • પ્રોબેશનર ખાણ ખનીજ અધિકારી સામે કાર્યવાહી
  • રાજ્ય સરકારે નરેશ જાનીને ફરજમાં મુક્ત કર્યા

સુરતમાં રાજયસરકારે ખાણખનીજ વિભાગમાં પ્રોબેશન પિરિયડમાં ફરજ બજાવતા અધિકારી નરેશ જાનીને ફરજ મુકત કર્યા છે,30 જુલાઈના રોજ નરેશ જાનીની એસીબી દ્રારા ધરપકડ કરવામાં આવી હતી,સુરતના ખાણ ખનિજ વિભાગમાં આ અધિકારી ફરજ બજાવતા હતા તો એસીબીએ તેમના વતી લાંચ લેનાર કપિલ પ્રજાપતિને પણ ઝડપી પાડયો હતો,લાંચની રકમ કુલ 2 લાખ રૂપિયા હતી.

રાજય સરકારનું સૌથી મોટુ પગલું

ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્રમા લાંચને લઈ કડક કાયદો બનાવવામાં આવ્યો છે,જેમાં અધિકારી સંપતિ જપ્ત કરવા સુધીનો કાયદો છે,સુરતમાં 30 જુલાઈના રોજ એસીબી ટ્રેપ થઈ હતી તે કેસમાં રાજયસરકારે કાર્યવાહી કરી છે અને અધિકારીને ઘર ભેગા કર્યા છે.સુરતના ખાણ ખનીજ વિભાગમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજ પર નરેશ જાનીને સેવામાંથી મુકત કર્યા છે આ અધિકારી પ્રોબેશન પિરિયડમાં લાંચ લેતા ઝડપાયા હતા.લાંચ કેસમાં નરેશ જાનીનો વચેટીયો કપિલ પ્રજાપતિ રૂ 2 લાખની લાંચ લેતા ઝડપાયો હતો.

એસીબીએ રાજયસરકારને રિપોર્ટ કર્યો હતો

સમગ્ર ઘટનાને લઈ એસીબીએ તપાસ કરી હતી અને પુરાવા સાથે ગુનો પણ નોંધ્યો હતો,ત્યારે ગુનાના આધારે એસીબીએ રાજયસરકારને રીપોર્ટ કર્યો હતો,રાજયસરકારે અન્ય અધિકારીઓમાં બીક પેસે તેને લઈ દાખલો બેસાડયો હતો,પોલીસે બેંક ખાતાના આધારે પણ તપાસ કરી હતી તેમજ નરેશ જાનીના ઘરે પણ તપાસ કરી હતી.

અધિકારીઓ સામે લેવાયા પગલા

ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.