Suratમાં તૂટેલા રોડને લઈ મેયર અકળાયા, નવરાત્રી પહેલા રોડ રીપેર કરવા આદેશ

સુરતના મેયર દક્ષેશ માવાણી રોડ રસ્તાને લઈ એકશનમાં આવી ગયા છે,કાર્યપાલક ઈજનેરને રોડ રસ્તાને લઈ અલટીમેટમ આપવામાં આવ્યું છે,નવરાત્રી પહેલા તમામ રસ્તા રીપેર કરવા આદેશ અપાયો છે.તમામ ઝોનના વડાઓ, કાર્યપાલક ઇજનેરને મેયરે આદેશ આપ્યો છે,મેયરે કહ્યું કે રસ્તા રીપેર નહી થાય તો તે ઈજનેરો સામે કાર્યવાહી કરવામાં આવશે. રોડ રસ્તા થશે રીપેર સુરતમાં તૂટેલા રોડ રસ્તાને રીપેર કરવા માટે મેયરે કાર્યપાલક ઈજનેરને આદેશ કર્યો છે,સાત દિવસમાં રોડ રસ્તાને રીપેર કરી દેવાના તેવો આદેશ મેયર દ્રારા કરવામાં આવ્યો છે,જે પણ ઝોનના વડાઓ અને કાર્યપાલક ઈજનેર આ કામ નહી કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે,100 મીટરના રોડ પર ચાર ખાડા દેખાતાં મેયરે એકશનમાં આવ્યા છે.નવરાત્રી પહેલા તમામ રસ્તા રીપેર કરવાના તેમજ તમામ સ્ટ્રીટ લાઈટો સરખી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કુમાર કાનાણીએ ખાડાને લઈ લખ્યો પત્ર કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું કે, હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે. અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે. જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે. પરંતુ ૬૦ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી. થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે. 1470 કરોડ રોડ માટે ફાળવ્યા મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.  

Suratમાં તૂટેલા રોડને લઈ મેયર અકળાયા, નવરાત્રી પહેલા રોડ રીપેર કરવા આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના મેયર દક્ષેશ માવાણી રોડ રસ્તાને લઈ એકશનમાં આવી ગયા છે,કાર્યપાલક ઈજનેરને રોડ રસ્તાને લઈ અલટીમેટમ આપવામાં આવ્યું છે,નવરાત્રી પહેલા તમામ રસ્તા રીપેર કરવા આદેશ અપાયો છે.તમામ ઝોનના વડાઓ, કાર્યપાલક ઇજનેરને મેયરે આદેશ આપ્યો છે,મેયરે કહ્યું કે રસ્તા રીપેર નહી થાય તો તે ઈજનેરો સામે કાર્યવાહી કરવામાં આવશે.

રોડ રસ્તા થશે રીપેર

સુરતમાં તૂટેલા રોડ રસ્તાને રીપેર કરવા માટે મેયરે કાર્યપાલક ઈજનેરને આદેશ કર્યો છે,સાત દિવસમાં રોડ રસ્તાને રીપેર કરી દેવાના તેવો આદેશ મેયર દ્રારા કરવામાં આવ્યો છે,જે પણ ઝોનના વડાઓ અને કાર્યપાલક ઈજનેર આ કામ નહી કરે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે,100 મીટરના રોડ પર ચાર ખાડા દેખાતાં મેયરે એકશનમાં આવ્યા છે.નવરાત્રી પહેલા તમામ રસ્તા રીપેર કરવાના તેમજ તમામ સ્ટ્રીટ લાઈટો સરખી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

કુમાર કાનાણીએ ખાડાને લઈ લખ્યો પત્ર

કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું કે, હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે. અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે. જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે. પરંતુ ૬૦ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી. થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે.

1470 કરોડ રોડ માટે ફાળવ્યા

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.

ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે

ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.