Suratના માંગરોળમાં ખાડામાં પડી મહીલા, પાછળથી ટ્રક ફરી વળતા નિપજયું મોત

સુરતના માંગરોળમાં રસ્તા પરના ખાડાએ મહિલાનો ભોગ લીધો છે.માંગરોળના નરોલી ગામે NH-48 પર કીમ નદીના બ્રિજ પર આ ઘટના બની હતી,જેમાં બાઈકસવાર દંપતી અંકલેશ્વર તરફ જઈ રહ્યું હતુ અને ખાડાના કારણે બાઈક પર સંતુલન રહ્યું નહી જેના કારણે દંપતી નીચે પટકાયું જેમાં પાછળથી ટ્રક આવી રહી હતી જેમાં મહિલાનું માથું ચગદાઈ જતા તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ. ખાડાએ લીધો મહિલાનો ભોગ સુરતના માંગરોળમાં ખાડાના કારણે મહિલાનું મોત થયું છે.દંપતી બાઈક લઈને જઈ રહ્યુ હતુ તે દરમિયાન અચાનક ખાડો આવે છે અને તેમાં તેઓ તેમનું સંતુલન ગુમાવતા નીચે પડે છે,ત્યારે ખાડામાથી દંપતિ ઉભુ થાય તે પહેલા પાછળ આવી રહેલી ટ્રકમાં મહિલાનું મોત થાય છે,ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળા ઉમટયા હતા પરંતુ મહિલાને સારવાર મળે તે પહેલા જ તેમનુંમ ઘટના સ્થળે મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. પોલીસે હાથધરી તપાસ સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,મૃતક મહિલાના પતિ અને ડ્રાઈવરની પોલીસે પૂછપરછ કરી છે અને નિવેદન નોંધ્યું છે,ખાડાના કારણે આ હાઈવે પર અકસ્માત થવાની ઘટના વાંરવાર બને છે પરંતુ તંત્ર દ્રારા હાઈવે પર ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવતી નથી,જેના કારણે હવે અકસ્માત બાદ લોકોના જીવ પણ જવા લાગ્યા છે,ત્યારે જોવાનું એ રહ્યું કે,આ ખાડાની કામગીરી તંત્ર કયારે કરશે. કુમાર કાનાણીએ ખાડાને લઈ લખ્યો પત્ર કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું કે, હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે. અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે. જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે. પરંતુ ૬૦ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી. થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે. 1470 કરોડ રોડ માટે ફાળવ્યા મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે. ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.  

Suratના માંગરોળમાં ખાડામાં પડી મહીલા, પાછળથી ટ્રક ફરી વળતા નિપજયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સુરતના માંગરોળમાં રસ્તા પરના ખાડાએ મહિલાનો ભોગ લીધો છે.માંગરોળના નરોલી ગામે NH-48 પર કીમ નદીના બ્રિજ પર આ ઘટના બની હતી,જેમાં બાઈકસવાર દંપતી અંકલેશ્વર તરફ જઈ રહ્યું હતુ અને ખાડાના કારણે બાઈક પર સંતુલન રહ્યું નહી જેના કારણે દંપતી નીચે પટકાયું જેમાં પાછળથી ટ્રક આવી રહી હતી જેમાં મહિલાનું માથું ચગદાઈ જતા તેનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.

ખાડાએ લીધો મહિલાનો ભોગ

સુરતના માંગરોળમાં ખાડાના કારણે મહિલાનું મોત થયું છે.દંપતી બાઈક લઈને જઈ રહ્યુ હતુ તે દરમિયાન અચાનક ખાડો આવે છે અને તેમાં તેઓ તેમનું સંતુલન ગુમાવતા નીચે પડે છે,ત્યારે ખાડામાથી દંપતિ ઉભુ થાય તે પહેલા પાછળ આવી રહેલી ટ્રકમાં મહિલાનું મોત થાય છે,ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળા ઉમટયા હતા પરંતુ મહિલાને સારવાર મળે તે પહેલા જ તેમનુંમ ઘટના સ્થળે મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.

પોલીસે હાથધરી તપાસ

સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથધરી છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,મૃતક મહિલાના પતિ અને ડ્રાઈવરની પોલીસે પૂછપરછ કરી છે અને નિવેદન નોંધ્યું છે,ખાડાના કારણે આ હાઈવે પર અકસ્માત થવાની ઘટના વાંરવાર બને છે પરંતુ તંત્ર દ્રારા હાઈવે પર ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવતી નથી,જેના કારણે હવે અકસ્માત બાદ લોકોના જીવ પણ જવા લાગ્યા છે,ત્યારે જોવાનું એ રહ્યું કે,આ ખાડાની કામગીરી તંત્ર કયારે કરશે.


કુમાર કાનાણીએ ખાડાને લઈ લખ્યો પત્ર

કુમાર કાનાણીએ પત્રમાં લખ્યું કે, હાલ ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે. અને શહેરમાં ખાડાઓનું સામ્રાજ્ય ઉભું થયું છે. જે સહન કરી શકાય તેમ નથી. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કરેલ છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે. પરંતુ ૬૦ સેકન્ડ સિગ્નલ ખુલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી. થોડી ગાડીઓ સિગ્નલ પસાર કરે કે તરત જ સિગ્નલ બંધ થઈ જાય છે.

1470 કરોડ રોડ માટે ફાળવ્યા

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા કુલ ૬૮૮ કિલોમીટરના ૬૫ માર્ગો માટે આ ૧૪૭૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.આ ફાળવણી અન્વયે ૮૩ કિલોમીટર માર્ગોને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે તેમજ ૧૭૩ કિલોમીટર રસ્તાની લંબાઈ ૧૦ મીટર સુધી પહોળી કરાશે.આ કામ સાથોસાથ ૪૩૨ કિલોમીટર લંબાઈનું મજબૂતીકરણ-સ્ટ્રેન્‍ધનીંગ કરાશે તેમજ પૂલ/ક્રોસ ડ્રેનેજ સ્ટ્રક્ચર્સના જરૂરી મજબૂતીકરણ તથા વાઈડનીંગ કરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાયે આ રસ્તાઓ પર ફ્લાય ઓવર પણ કરાશે.

ગ્રામ્યના રોડ પણ મજબૂત થશે

ક્વૉરી વિસ્તારના અને ઉધોગોને જોડતા ગ્રામ્ય માર્ગો પણ વધુ મજબૂતીકરણની તેમજ વાઇડનીંગની જરૂરિયાત ધરાવતા હોય છે, તે બાબતને પણ ધ્યાને રાખવામાં આવેલ છે.મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને રાજ્યના દરેક વિસ્તારના ઔદ્યોગિક અને ક્વૉરી વિસ્તારોને જોડતા રસ્તાઓને ધ્યાનમાં લઈને ઉત્તર, મધ્ય, દક્ષિણ, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના સર્વાંગી વિકાસની વ્યૂહરચના અનુસાર રસ્તાઓ આવરી લેવા દિશા નિર્દેશ આપ્યા છે.આ આયોજન પ્રવર્તમાન સમયની જરૂરિયાતોને પૂર્ણ કરવા સાથે ઉદ્યોગ અને ક્વૉરી વિસ્તારની અને તેને જોડતા રસ્તાઓના ગામો, નગરો, શહેરોની ભવિષ્યલક્ષી જરૂરિયાતોની પણ આપૂર્તિ કરશે.