Surat રેલવે સ્ટેશન પર વતન જવા માટે મુસાફરોનું ઉમટયું માનવ મહેરામણ

દિવાળીને લઈ સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે.ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડીયારૂ ઉભરાઈ ગયું છે.સ્ટેશન પર ભીડ બેકાબુ બનતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો અને ત્યારબાદ મુસાફરોને લાઈનમાં ઉભા રાખ્યા હતા,સુરત રેલવે પોલીસ અને RPF દ્વારા લાઠીનો બળ પ્રયોગ કર્યો હતો,યુપી તરફ જવા માટે મુસાફરોની ભીડ ઉમટી હતી.ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટી પડયું છે,વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે,લોકલ ડબ્બામાં બેસવા માટે તેમજ ટિકિટ બુકિંગને લઈ મુસાફરોની ભીડ જોવા મળી છે.પર પ્રાંતિયો પોતાના વતન જવા માટે ટ્રેનમાં બેસવા પડાપડી કરી રહ્યાં છે.પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે સાથે સાથે પોલીસે વ્યવસ્થા પણ કરી છે,ગયા વર્ષે સુરત રેલવે સ્ટેશન પર ભીડમાં મુસાફરનું મોત નિપજયું હતુ ત્યારબાદ આ વર્ષે પોલીસ સતર્ક બની છે.છઠપૂજાના પર્વને લઈ 85 વધુ ટ્રેનો દોડાવામાં આવી છે.મુસાફરોને પડે છે તકલીફ તહેવારોની સિઝનમાં દેશના વિવિધ શહેરોમાંથી યુપી-બિહાર જનારા લોકોની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળે છે. આમાંના મોટાભાગના લોકો તેમના ઘરે પહોંચવા માટે ટ્રેનો પર નિર્ભર છે. પરિણામે પહેલેથી જ ફૂલ ગાડીઓ વધુ ફૂલ થવા લાગે છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દરમિયાન સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનમાં સીટ મેળવવા માટે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્પેશિયલ ટ્રેનનું કરાયું આયોજન આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા માટે વતન જતા પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ આ વખતે વધારાની 85 ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે, જેમાં 1380 ફેરા હશે. આ ટ્રેનો 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દોડશે. આ ટ્રેનોથી લાખો પ્રવાસીઓને લાભ થશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પશ્ચિમ રેલવેએ 65 ટ્રેનના 1110 ફેરા દોડાવ્યા હતા. આ સાથે ગયા વર્ષે દિવાળીએ સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવાને લઈને થયેલી ભાગદોડમાં એક યુવકનું મોત થયું હતું. એને લઇને આ વર્ષે અગાઉથી જ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી રહી છે.  

Surat રેલવે સ્ટેશન પર વતન જવા માટે મુસાફરોનું ઉમટયું માનવ મહેરામણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીને લઈ સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે.ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડીયારૂ ઉભરાઈ ગયું છે.સ્ટેશન પર ભીડ બેકાબુ બનતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો અને ત્યારબાદ મુસાફરોને લાઈનમાં ઉભા રાખ્યા હતા,સુરત રેલવે પોલીસ અને RPF દ્વારા લાઠીનો બળ પ્રયોગ કર્યો હતો,યુપી તરફ જવા માટે મુસાફરોની ભીડ ઉમટી હતી.

ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટી પડયું છે,વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે,લોકલ ડબ્બામાં બેસવા માટે તેમજ ટિકિટ બુકિંગને લઈ મુસાફરોની ભીડ જોવા મળી છે.પર પ્રાંતિયો પોતાના વતન જવા માટે ટ્રેનમાં બેસવા પડાપડી કરી રહ્યાં છે.પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો છે સાથે સાથે પોલીસે વ્યવસ્થા પણ કરી છે,ગયા વર્ષે સુરત રેલવે સ્ટેશન પર ભીડમાં મુસાફરનું મોત નિપજયું હતુ ત્યારબાદ આ વર્ષે પોલીસ સતર્ક બની છે.છઠપૂજાના પર્વને લઈ 85 વધુ ટ્રેનો દોડાવામાં આવી છે.


મુસાફરોને પડે છે તકલીફ

તહેવારોની સિઝનમાં દેશના વિવિધ શહેરોમાંથી યુપી-બિહાર જનારા લોકોની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળે છે. આમાંના મોટાભાગના લોકો તેમના ઘરે પહોંચવા માટે ટ્રેનો પર નિર્ભર છે. પરિણામે પહેલેથી જ ફૂલ ગાડીઓ વધુ ફૂલ થવા લાગે છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દરમિયાન સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનમાં સીટ મેળવવા માટે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્પેશિયલ ટ્રેનનું કરાયું આયોજન

આગામી દિવસોમાં દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા માટે વતન જતા પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ આ વખતે વધારાની 85 ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે, જેમાં 1380 ફેરા હશે. આ ટ્રેનો 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દોડશે. આ ટ્રેનોથી લાખો પ્રવાસીઓને લાભ થશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પશ્ચિમ રેલવેએ 65 ટ્રેનના 1110 ફેરા દોડાવ્યા હતા. આ સાથે ગયા વર્ષે દિવાળીએ સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડવાને લઈને થયેલી ભાગદોડમાં એક યુવકનું મોત થયું હતું. એને લઇને આ વર્ષે અગાઉથી જ સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી રહી છે.