Surat: અમૃતમ સંસ્થા દ્વારા 32મો માતા મિલ્ક ડોનેશન કેમ્પ યોજાયો, 82 મિલ્ક યુનિટનું અમૃત એકઠું કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત શહેરમાં અમૃતમ સંસ્થા દ્વારા માતા મિલ્ક ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જે સંસ્થાનો 32મો કેમ્પ હતો. આ ઉમદા કાર્યક્રમમાં જે માતાઓનું બાળક બે વર્ષ સુધીનું હોય તેવી માતાઓએ ઉત્સાહભેર પોતાનું દૂધનું દાન કર્યું હતું. આ કેમ્પ થકી કુલ 28 જેટલા મિલ્ક યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા.
માતા મિલ્ક ડોનેશન કેમ્પનું સફળ આયોજન
આ કેમ્પમાં અમૃતમ સંસ્થાના પ્રમુખ કુંજ પંસારી અને સુરત શહેર પોલીસ કમિશનરનાં ધર્મપત્ની સંધ્યા ગહેલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંધ્યા ગહેલોતએ જણાવ્યું હતું કે, "માતાનું ધાવણ એ જાતે જ અમૃત છે. તેથી, મહિલાઓએ બાળકોને બહારનું વેચાતું મિલ્ક પાવડર કે મેન મેડ મિલ્ક ન પીવડાવવું જોઈએ. માતાના દૂધથી જ બાળકનો યોગ્ય વિકાસ થાય છે અને તે મજબૂત બને છે."સંધ્યા ગહેલોતએ માતાના દૂધના દાનને સર્વશ્રેષ્ઠ દાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, "રક્તદાન કે પૈસાનું દાન તો ઘણા લોકો કરે છે, પરંતુ માતાના દૂધનું દાન કરવું એ ઉત્તમ ગણાય છે."
અમૃતમ સંસ્થા દ્વારા માતા મિલ્ક ડોનેશન
સંસ્થા દ્વારા છેલ્લાં 17 વર્ષોથી આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કેમ્પમાં એકત્રિત કરવામાં આવેલા દૂધને લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવે છે, ફ્રીઝ કરવામાં આવે છે અને સંપૂર્ણ ચકાસણી બાદ એવી માતાઓ કે જેમને ધાવણ ઓછું કે નહિવત્ હોય છે, તેમને દાન કરવામાં આવે છે. આ રીતે અમૃતમ સંસ્થા એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે માતાના ધાવણના અભાવે અન્ય કોઈ બાળકનો વિકાસ અટકે નહીં.
What's Your Reaction?






